મુંબઇઃ મહારાષ્ટ્ર પોલીસે ભીમા-કોરેગાંવ મામલે નક્સલ સમર્થક વરવર રાવની ધરપકડ કરી લીધી છે. શુક્રવારે હૈદરાબાદ હાઇકોર્ટે વરવર રાવની અરજીને ફગાવી દીધી હતી જ્યાર બાદ તેમની આ ધરપકડ થઇ છે. મહારાષ્ટ્ર પોલીસે વરવર રાવની ધરપકડ કર્યા બાદ તેમને પૂણ લઇ જઇ રહ્યા છે.
વરવર રાવ તે પાંચ લોકોમાં સામેલ છે જેના પર નક્સલિઓની સાથે સંબંધ રાખવા અને ભીમા કોરેગાંવ હિંસામાં સામેલ થવાના આરોપ છે. આ પહેલા ઓગષ્ટમાં ભીમા કોરેગાંવ હિંસા મામલે પૂણે પોલીસની આગેવાનીમાં દેશભરમાં રેડ કરાઇ હતી. આ દરમિયાન વરવર રાવ સહિત કેટલાક નક્સલ સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી અને તેમને નજરબંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા આ વર્ષની શરૂઆતમાં પૂણે પોલીસે નક્સલ નેતા તરફથી લખાયેલ એક કથિત પત્રને જપ્ત કર્યો હતો જેમાં દેશમાં અલગ-અલગ નક્સલી ગતિવિધીઓ માટે પ્રતિષ્ઠિત તેલુગૂ કવિ વરવર રાવના કથિત માર્ગદર્શન માટે તેમના વખાણ કર્યા હતા.