વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવ્યાપી મસ્જિદમાં ટીમ સર્વે અને વીડ઼િયોગ્રાફી કરી રહી છે.
વારાણસીમાં કોર્ટના નિર્દેશ પર સર્વે હાથ ધરાયો
સર્વે કરવામાં માટે ટીમ પહોંચી
પોલીસનો કડક બંદોબસ્ત, બહાર શાંતિ
વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવ્યાપી મસ્જિદમાં ટીમ સર્વે અને વીડ઼િયોગ્રાફી કરી રહી છે. ટીમમાં કોર્ટના કમિશ્નર સહિત હિન્દુ અને મુસ્લિમના વાદી અને વકીલ પણ છે. હવે પરિસર બહાર શાંતિ થઈ ચુકી છે. જ્યારે અહીં ટીમ પહોંચી તો, બંને પક્ષ તરફથી ભારે નારેબાજી થઈ હતી.
UP | When any procession is held, people get curious to participate. This is why it (crowd) is there, no other matter is involved... people who disobey Court orders should... prove whether they're Indians or from other nations: Brij Bhushan Ojha, Trustee, Kashi Vishwanath Temple pic.twitter.com/v4tR4LNygs
વારાણસીમાં આજે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવ્યાપી મસ્જિદ પરિસરમાં વીડિયો ગ્રાફી થઈ હતી. વારાણસીની એક કોર્ટે પરિસરની અંદર શ્રૃંગાર ગૌરી અને કેટલાય વિગ્રહનો સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. જેમાં કોર્ટ તરફથી નિમાયેલા વકીલ કમિશ્નર સર્વે કરશે અને જોશે કે, માં શ્રૃંગાર ગૌરી અને બીજા વિગ્રહ તથા બીજા દેવતાઓની સ્થિતિ કેવી છે. આ સર્વેમાં મંદિર અને વિગ્રહ ક્યાં ક્યાં છે, તેનો સર્વે કરવામાં આવશે.
There are many things not ordered by Court, being established that way. Court ordered that as per the case filed, only an ordinary commission should be conducted, i.e note whatever is seen & submit the report to the court: Abhay N Yadav, lawyer, Anjuman Intezamia Masjid Committee pic.twitter.com/1HB0ZbgUop
ગુરૂવારના રોજ એ નક્કી કરવામાં આવ્યું હતું કે, શ્રૃંગાર ગૌરી અને બીજા વિગ્રહો, દેવી દેવતાઓના સ્થાનનો સર્વે થશે. અજય કુમાર મિશ્રા, જે વકીલ કમિશ્નર કોર્ટ તરફથી નિમણૂંક કરવામાં આવ્યા છે. તેમની પોતાની સાથે સાથે સર્વે કરવા માટે તમામ સાધનોની સુરક્ષાની પણ ભલામણ કરી હતી, જેના પર કોર્ટે સુરક્ષાની જવાબદારી વારાણસી પોલીસ કમિશ્નરેટને આપી હતી.