ઉત્તર પ્રદેશમાં ભલે યોગી 2.0ની શરૂઆત સત્તાવાર રીતે 25 માર્ચથી થવાની હોય, પણ ગુંડાઓ પર ગાળીયો કસવાનું શરૂ થઈ ગયું છે.
યોગી સરકારની સત્તાવાપસી
યુપી પોલીસે ધોળાદિવસે ગુંડાને પતાવી દીધો
કેટલાય વર્ષથી ફરાર હતો આ ગુંડો
ઉત્તર પ્રદેશમાં ભલે યોગી 2.0ની શરૂઆત સત્તાવાર રીતે 25 માર્ચથી થવાની હોય, પણ ગુંડાઓ પર ગાળીયો કસવાનું શરૂ થઈ ગયું છે. ગુંડાઓની કાળી કમાણી પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે ફરાર થઈ રહેલા ગુંડા તત્વોના એન્કાઉંટર થવાના શરૂ થઈ ગયા છે. આ જ ક્રમમાં સોમવારે વારાણસીમાં ધોળા દિવસે 2 લાખના ઈનામી મનીષ સિંહ સોનૂને પતાવી દેવામાં આવ્યો હતો.
2 લાખના ઈનામી મનીશ સિંહ સોનૂને યુપી એસટીએફે વારાણસીના લોહતા વિસ્તારમાં અથડામણમાં મારી નાખ્યો હતો. એનડી તિવારી હત્યાકાંડ સહિત કપસેઠીમાં 10 લાખની ખંડણી સહિતના કેટલાય ગુનામાં તે સંડોવાયેલો હતો. તેના પર જૌનપુર, ગાઝીપુર, વારાણસી અને ચંદૌલીમાં ડઝનબંધ કેસ નોંધાયેલા હતા.
કેટલાય વર્ષોથી ફરાર હતો
હાલના દિવસોમાં મનીષ સિંહ સોનૂ પર યુપી પોલીસે ઈનામની જાહેરાત કરી હતી, જેમાં 2 લાખ કરી દેવામાં આવી હતી. આ ગુંડો કેટલાય સમયથી ફરાર હતો. 28 ઓગસ્ટ 2020ના રોજ મનીષ સોનૂએ ચોકાઘાટમાં ધોળાદિવસે કેંટ પોલીસ સ્ટેશનના અભિષેક સિંહ પ્રિંસ સહિત બે લોકોની હત્યા કરી નાખી હતી.
બિહાર અને નેપાળમાં ઠેકાણા બદલીને રહેતો હતો
નવેમ્બર 2020 બાદ પોલીસ મનીશ સિંહ સોનૂની શોધ કરી રહી હતી. પણ તે હાથમાં આવતો નહોતો. યુપી પોલીસના જણાવ્યા અનુસાર મનીષ બિહાર અને નેપાળમાં ઠેકાણે બદલીને રહેતો હતો. લગભગ દોઢ વર્ષ બાદ એટલે કે આજે મનીષ સિંહનું લોકેશન વારાણસીમાં હોવાનું જાણવા મળ્યું હતું.
STF ધોળા દિવસે ઉડાવી દીધો
ત્યાર બાદ યુપી એસટીએફે મનીષ સિંહ સોનૂને ઘેરી લીધો. કહેવાય છે કે, આ દરમિયાન મનીષ સિંહ સોનૂએ ફાયરિંગ કરતા ભાગવાની કોશિશ કરી હતી. પણ જવાબી કાર્યવાહીમાાં તે ખુદ પતી ગયો. તેની પાસેથી 9 એમએમની કારબાઈન, 32 બોરની પિસ્ટલ અને ભારે માત્રામાં કારતૂસ મળી આવ્યા હતા. યુપીમાં ભાજપ સરકારની વાપસીનું આ પ્રથમ એન્કાઉંટર છે, જેમાં ગુંડાને પતાવી દીધો છે.