વારાણસીમાં વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં કોર્ટે પુરાતત્વ સર્વેક્ષણનો આદેશ આપ્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ કાશીમાં વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી છે
હિંદુઓ જ્ઞાનવાપી મસ્જિદને મંદિર ગણાવી રહ્યાં છે
1991 થી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા મસ્જિદનું ખોદકામ કરશે
મસ્જિદના સ્થાને મંદિર હતું કે નહીં દાવાની ચકાસણી કરશે 1991 થી ચાલી રહેલા આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે આશુતોષ તિવારીની કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી લીધો હતો. કોર્ટે આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડીયાને પોતાના ખર્ચે મસ્જિદનું ખોદકામ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે ઓબ્ઝર્વરની આગેવાનીમાં પાંચ સભ્યોની કમિટીની રચના કરવાનું પણ જણાવ્યું છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટના ચુકાદા બાદ હવે અયોધ્યાની જેમ જ્ઞાનવાપી મસ્જિદનું પણ ખોદકામ કરીને મંદિર પક્ષના દાવાના પ્રામાણિકતાની ચકાસણી કરવામાં આવશે.
ડિસેમ્બર 2019 માં વકીલ વિજય શંકર રસ્તોગીએ સિવિલ જજની કોર્ટમાં સ્વયંભુ જ્યોર્તિલિંગ ભગવાન વિશ્વેશ્વરની વતી એક અરજી દાખલ કરી હતી જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરનું સર્વેક્ષણ કરવાની અપીલ કરાઈ હતી.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયા મસ્જિદનું ખોદકામ કરશે
પ્રાચીમ મૂર્તિ વિશેશ્વર પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું કે કોર્ટે કેન્દ્ર સરકાર અને યુપી સરકારને પત્ર દ્વારા આ કેસમાં પુરાતત્વ વિભાગની પાંચ સભ્યોની ટીમ બનાવીને આખા પરિસારમાં સર્વેક્ષણ કરશે. કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા તેમણે કહ્યું કે પુરાતાત્વિક સર્વેક્ષણ પછી સ્પસ્ટ બની જશે કે વિવાદીત સ્થળ કોઈ મસ્જિદ નહી પરંતુ વિશેશ્વર મહાદેવનું મંદિર છે.
2 એપ્રિલે પુરી થઈ હતી ચર્ચા
જ્ઞાનવાપી પસિરના પુરાતાત્વિક સર્વેક્ષણની અજી પર સિવિલ જજ સિનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 2 એપ્રિલે દલીલો પૂરી કરાઈ હતી. કોર્ટે તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ ફેસલો અનામત રાખી લીધો હતો. કોર્ટે કાશી વિશ્વનાથ મંદિર પક્ષના વકીલ રસ્તોગીએ કહ્યું હતું કે પુરાતાત્વિક પુરાવા માટે સર્વેક્ષણ કરવું જરુરી છે. તો અંજુમન ઈન્તેજામિયા મસાજિદ (જ્ઞાનવાપી મસ્જિદ પક્ષ) અને સુન્ની સેન્ટ્લ વક્ફ બોર્ડના વકીલોએ વિવાદીત માળખાના પુરાતાત્વિક સર્વેક્ષણ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો.
ઔરંગઝેબે ઐતિહાસિક મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી
વારાણસીમાં મોગલ બાદશાર ઔરંગઝેબના આદેશ પર ઐતિહાસિક મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવાઈ હોવાનો આરોપ મંદિર પક્ષકારનો છે. હિંદુ સમૂદાય તેને ઐતિહાસિક સ્થળ માની રહ્યો છે તો મુસલમાનો તેને પોતાના ધર્મનું પવિત્ર સ્થાન માની રહ્યો છે.