ઉત્તરપ્રદેશમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે. જેને લઈને અહીં વીકેન્ડમાં લોકડાઉન લાગૂ કરાયું હતું. પરંતુ PM મોદીએ અહીં 3 દિવસ ટોટલ લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરતાં અહીં અઠવાડિયામાં 4 દિવસ જ ઓફિસ અને બજારો ખુલ્લા રહેશે. રોડની બંને તરફની દુકાનો આ 4 દિવસ જ ખુલ્લી રહેશે. કાર્યાલય મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે જ ખૂલશે. શનિવાર, રવિવાર અને સોમવારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ રહેશે. આ નિયમ 15 ઓગસ્ટ સુધી કાયમ રહેશે.
વારાણસીમાં 15 ઓગસ્ટ સુધી 3 દિવસ ટોટલ લોકડાઉન
મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે જ બજારો અને ઓફિસ ખુલશે
શનિવાર, રવિવાર અને સોમવારે સંપૂર્ણ લોકડાઉન લાગૂ રહેશે
જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે કોરોનાના વધતા સંક્રમણને જોતાં કલમ 144માં થોડું સંશોધન કરાયું છે. અત્યાર સુધી દુકાનો અને કાર્યાલય સોમથી શુક્રવાર સુધી 5 દિવસ ચાલુ રહેતા હતા. હવેથી તે મંગળવારથી શુક્રવાર 4 દિવસ ચાલુ રહેશે. એટલે કે કાર્યાલય મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે જ ખૂલશે. શનિવાર, રવિવાર અને સોમવારે તમામ કામકાજ બંધ રહેશે.
આમને મળશે છૂટ
ગાઈડલાઈનના આધારે બેંક, એલઆઈસી, દવાઓ, દૂધ, શાક, ટ્રાન્સપોર્ટ, કુરિયર, શાક બજાર, રસોઈ ગેસ, પેટ્રોલ પંપને લોકડાઉનના દિવસોમાં સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ખોલવાની પરમિશન અપાઈ છે. દૂધ અને શાક માર્કેટ પહેલાંની જેમ સવારે ખુલશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસોને ખોલવા માટે નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ અહીં પણ 50 ટકા કર્મચારીઓ સાથે કામ થશે.
દુકાનો ખોલવા અને બંધ કરવાનો સમય પણ બદલાયો
ત્રણ દિવસના લોકડાઉન બાદ દુકાનોને બંધ કરવાનો સમય પણ બદલાયો છે. દરેક પ્રકારની દુકાનો, માર્કેટ, કોમ્પલેક્સ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. પહેલાં આ સમય 4 વાગ્યા સુધીનો હતો. રાતે 8થી સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ રહેશે.