વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં મુસ્લિમોનો પ્રવેશ અટકાવવાની અને શિવલિંગ હિંદુઓને સોંપી દેવાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કર્યો છે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટનો ચુકાદો
જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કર્યો ટ્રાન્સફર
જ્ઞાનવાપીમાં મુસ્લિમોનો પ્રવેશ અટકાવવાની હતી માગ
શિવલિંગની પૂજા કરવાની પણ અરજીમાં કરાઈ હતી માગ
ફાસ્ટ ટ્રેક કોર્ટ હવે 30મેએ થશે આગામી સુનાવણી
વારાણસીની સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદમાં મળી આવેલા કથિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે.
હિંદુ પક્ષે સિવિલ કોર્ટમાં અરજી કરીને શિવલિંગની પૂજા કરવાની તથા મુસ્લિમોને તેમાં પ્રવેશતા અટકાવવાની માગ કરી હતી. હિંદુ પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો. અલગ મામલાને લઈને મંગળવારે સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વિશ્વ વૈદિક સનાતન સંઘના વડા જિતેન્દ્રસિંહ બિસેનના પત્ની અને વિશ્વ વૈદિક સનાતન સંઘના આંતરરાષ્ટ્રીય મહામંત્રી કિરણસિંહ વતી આ અરજી દાખલ કરવામાં આવી હતી.
ફાસ્ટ ટ્રેક કોર્ટ હવે આગામી 30મેએ વધુ સુનાવણી કરશે
ફાસ્ટ ટ્રેક કોર્ટ હવે જ્ઞાનવાપી મસ્જિદ કેસની વધુ સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરશે.
Gyanvapi Mosque row | Plea transferred from civil judge to fast track court, Varanasi
Fast track court judge not available; matter to be heard on May 30
આ પહેલા જ્ઞાનવાપી કેસની સુનાવણી મંગળવારે વારાણસી જિલ્લા કોર્ટમાં થઇ હતી. તેમાં કોર્ટે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને સાંભળ્યા હતા. હવે આગામી સુનાવણી 26 મેના રોજ થશે. અદાલતે બંને પક્ષોને સર્વે અહેવાલ પર વાંધા નોંધાવવા નિર્દેશ આપ્યો હતો. હવે આવતીકાલે નક્કી થશે કે જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલા મામલાની સુનાવણી થવી જોઈએ કે નહીં.