ઉત્તર પ્રદેશના વારાણસી શહેરને શુક્રવાર શંઘાઈ સહયોગ સંગઠનની પ્રથમ 'સાંસ્કૃતિક તથા પર્યટન રાજધાની' જાહેર કરવામાં આવી છે.
વારાણસીને મળ્યું મોટુ સન્માન
એસસીઓનું પ્રથમ સાંસ્કૃતિક અને પર્યટક રાજધાની બન્યું વારાણસી
પીએમ મોદીએ તમામ સભ્ય દેશોનો આભાર માન્યો
ઉત્તર પ્રદેશના વારાણસી શહેરને શુક્રવાર શંઘાઈ સહયોગ સંગઠનની પ્રથમ 'સાંસ્કૃતિક તથા પર્યટન રાજધાની' જાહેર કરવામાં આવી છે. એસસીઓના નેતાઓએ વારાણસીને વર્ષ 2022-23 માટે ગ્રુપની પ્રથમ પર્યટન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે સમર્થન આપ્યું છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મીડિયા બ્રિફીંગમાં આ પ્રકારની જાણકારી આપી છે.
ઉઝ્બેકિસ્તાનના સમરકંદ શહેરમાં એસસીઓ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું. ક્વાત્રાએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ આગામી 2022-23 દરમિયાન વારાણસીને એસસીઓ પર્યટક અને સાંસ્કૃતિક રાજધાની તરીકે માન્યા આપવા માટે તમામ દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ભારત અને ક્ષેત્રની વચ્ચે વધું સાંસ્કૃતિક અને લોકોની વચ્ચે સંબંધોના દ્વાર ખોલે છે.
વિદેશ સચિવે કહ્યું કે, વારાણસીને મળેલી આ ઓળખાણનો જશ્ન મનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કેન્દરના સહયોગથી કેટલાય કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. ક્વાત્રાએ કહ્યું કે, એસસીઓએ ભારતની પ્રથમ પહેલ પર સ્ટાર્ટ અપ અને નવોન્મેષ પર એક વિશેષ કાર્ય સમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. શિખર સંમેલનમાં બેલારુસ અને ઈરાનને એસસીઓનું સ્થાયી સભ્ય પદ આપવાનો નિર્ણય કર્યો છે.