બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Vapi Uttar Pradesh special train cancel daman workers Attack on police
Last Updated: 06:22 PM, 22 May 2020
ADVERTISEMENT
ઓદ્યોગિક નગરી ગણાતા વાપીમાં સૌથી વધુ પરપ્રાંતિયોની વસ્તી છે. જોકે, લોકડાઉનમાં તેઓ દ્વારા વતનમાં જવા માટે તેઓ માંગ કરી રહ્યા હતા. જેને પગલે તંત્ર દ્વારા વાપી સ્ટેશનેથી શ્રમિકો માટે ઉત્તરપ્રદેશ માટે ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે આ ટ્રેન રદ્દ થતા શ્રમિકોની ધીરજ ખુટી અને તેઓ ભડક્યા હતા.
સંઘ પ્રદેશ દમણથી વાપી રેલવે સ્ટેશન આ શ્રમિકોને લઇ જવાના હતા. જોકે વાપીથી ઉત્તરપ્રદેશ જવાની ટ્રેન રદ્દ થવાની જાહેરાત થતા શ્રમિકોએ ઉશ્કેરાઇને તંત્ર દ્વારા અપાયેલા ફૂડ પેકેડને રસ્તા પર ફેંકી દીધા હતા. આ વિફરેલા ટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ કર્યો હતો.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાંથી ગુરૂવારે 14 શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી. જેમાં બેસીને 22 હજાર જેટલા શ્રમિકો તેમના વતન જવા રવાના થયા હતા. 7 ટ્રેનો બિહાર માટે દોડાવાઇ હતી. જેમાં છપરા, સીતામઢી, મુઝફ્ફરપુર, પટના, કટીહાર તરફ રવાના કરાઇ હતી. જ્યારે ઝોરખંડમાં રાંચી અને ગીઓગર માટે 2 ટ્રેન દોડી હતી. છત્તીસગઢમાં ચંપા અને બિલાસપુર માટે તેમજ ઉત્તરપ્રદેશમાં ગોરખપુર, વારાણસી માટે ટ્રેનો દોડાવાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.