અરવલ્લી જીલ્લાના ભિલોડા અને મોડાસા તાલુકાની સરહદોને લઇ રસ્તાની સમસ્યાથી પરેશાન વાંદીયોલ ગામના ગ્રામજનોએ અનોખો વિરોધ કર્યો છે. સ્થાનિકોએ તંત્રની આંખો ખોલવા રામધુન કરી રસ્તો બનાવવાની માંગણી કરી હતી.
ભિલોડા અને મોડાસામાં રસ્તાની સમસ્યા
વાંદીયોલ ગ્રામજનોનો અનોખો વિરોધ
તંત્રની આંખો ખોલવા રામધુન કરી
ઉલ્લેખનીય છે કે, ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓમાં વહેચાયેલા ગામોના વિકાસથી વંચિત લોકોએ રામધુન કરી તંત્રની આખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ભિલોડા તાલુકામાં આવેલા વાંદીયોલ ગ્રામ પંચાયતની કે જ્યાં વાંદીયોલ અને બ્રહ્મપુરી એમ બંને ગામોના 4 હજાર લોકો વસવાટ કરે છે.
5 કિલોમીટરનો રસ્તો બિસ્માર હાલતમાં
આપને જણાવી દઇએ કે, આ લોકોને કોઈપણ ખરીદી કે મેડીકલ જેવા કોઈ પણ કામ માટે નજીકમાં મોડાસા તાલુકાના ટીંટોઈ વેપારી મથક હોવાના કારણે અવર જવર કરવી પડે છે ત્યારે વાંદીયોલ થી બ્રહ્મપુરી થઇ ટીંટોઈ જતો 5 કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાંય સમયથી બિસ્માર બની જતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યાં છે.
રસ્તાઓ પર એક ફૂટના પડ્યા છે ખાડા
રસ્તાઓ પર એક ફૂટના ખાડા પડી ગયા છે અવાર નવાર અકસ્માતો પણ સર્જાય છે. અનેક રજુઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં રસ્તો રીપેરીંગ કરવામાં નહિ. રસ્તા માટે રામધુન બોલાવી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.