બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vande Bharat train to run between Goa to Mumbai, PM Modi will virtually give green signal on Saturday

આનંદો / હવે ગોવાથી મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે

Last Updated: 11:30 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ઓનલાઈન માધ્યમથી પ્રથમ પ્રવાસમાં મડગાંવ રેલ્વે સ્ટેશનથી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ દેશની 19મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે.

  • હવે ગોવાથી મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન
  • PM મોદી શનિવારે વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે
  • દેશની 19મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ઓનલાઈન માધ્યમથી પ્રથમ પ્રવાસમાં મડગાંવ રેલ્વે સ્ટેશનથી ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. રેલ્વે અધિકારીઓએ અહીં જણાવ્યું કે આ દેશની 19મી સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ હશે, ચોથી વંદે ભારત ટ્રેન મુંબઈથી અને પાંચમી વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રથી ઓપરેટ થશે.

વતનમાં PM: વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને આપશે લીલીઝંડી,  બનાસકાંઠામાં પણ આપશે વિકાસ કાર્યોની ભેટ, જાણો વિગત | pm modi will launch vande  bharat train ...

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે

તેમણે જણાવ્યું કે મડગાંવ રેલ્વે સ્ટેશન પર આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અન્ય મહાનુભાવો સાથે હાજર રહેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન લગભગ 10.45 વાગ્યે વર્ચ્યુઅલ રીતે ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને તે લગભગ 6.30 વાગ્યે મુંબઈ પહોંચશે. તેમણે માહિતી આપી હતી કે અન્ય વંદે ભારત એક્સપ્રેસના 16 કોચથી અલગ મુંબઈ-ગોવા રૂટ પર ચાલતી ટ્રેનમાં માત્ર આઠ કોચ હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું સંચાલન શુક્રવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ચાલશે. જો કે હજુ સુધી નિયમિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું નથી.

गुजरात के आणंद में वंदे भारत ट्रेन के नीचे आई 54 वर्षीय महिला की मौत | 54  year old woman dies under vande bharat train in gujarats anand - Shortpedia  News App

મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે

અત્યાર સુધી મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. જે ગાંધીનગર, શિરડી અને સોલાપુર માટે ચાલે છે. દેશની આર્થિક રાજધાનીમાંથી ચલાવવામાં આવનાર આ ચોથી વંદે ભારત હશે. હાલમાં ભારતમાં વંદે ભારત ટ્રેનની કુલ 18 જોડી ચાલી રહી છે, જેમાં ગુવાહાટીથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે દોડતી ટ્રેન તાજેતરમાં શરૂ થઈ છે. મહિનાની શરૂઆતમાં પ્રથમ વંદે ભારત ઓડિશાથી રવાના થઈ હઈ જે પુરીથી હાવડા વચ્ચે ચાલે છે.

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક અઠવાડિયામાં 3 ત્રીજી  ઘટના, બારીના કાચ તૂટ્યા | Stone pelting on Vande Bharat train in West  Bengal again

દિલ્હીથી 6 વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે

મુંબઈમાં ચાલતી 3 વંદે ભારત ટ્રેનો ઉપરાંત દેશની રાજધાની દિલ્હીથી 6 વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જે દિલ્હીને દેહરાદૂન, અજમેર, વારાણસી, કટરા, ભોપાલ અને અંબ અંદૌરા સાથે જોડે છે. સાથે સાથે મૈસુર અને કોઈમ્બતુર, ચેન્નાઈમાં વંદે ભારત છે, વંદે ભારત બિલાસપુર-નાગપુર, હાવડા-ન્યૂ જલપાઈગુડી, સિકંદરાબાદ-તિરુપતિ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરન-કસરાગોડ રૂટ પર પણ કાર્યરત છે.

સંકળાયેલા મુદ્દાઓ

GoatoMumbai PmModi Saturday VandeBharattrain greensignal virtually Vande Bharat Train
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ