મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી જનારી વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદમાં ભેંસોના ઝુંડનાં ટકરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જે એક દિવસમાં રીપેર થઈ ગઈ છે.
મુંબઈ - ગાંધીનગર વંદે ભારત અમદાવાદમાં થઈ હતી ડેમજ
ભેંસોના ટકરાવાને કારણે ટ્રેનનાં આગળના ભાગને થયું હતું નુકસાન
એક દિવસ બાદ ટ્રેન થઈ ગઈ રીપેર
મુંબઈ - ગાંધીનગર વંદે ભારત અમદાવાદમાં થઈ હતી ડેમજ
મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર સુધી જનારી વંદે ભારત એક્સપ્રેસ 6 ઓકટોબરની સવારે 11:18 વાગ્યે વટવા - મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ઝુંડનાં ટકરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ પ્રમિયમ ટ્રેનનાં એન્જિનનો આગળનો ભાગ ટક્કરને કારણે તૂટી ગયો હતો. જોકે, અકસ્માતના એક દિવસ બાદ જ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ રીપેર થઈને ફરીથી પટરી પર ચાલવા લાગી છે. આ ટ્રેનનાં આગળના ભાગને મુંબઈ સેન્ટ્રલ રેલવેના કોચિંગ કેર સેન્ટરમાં ઠીક કરવામાં આવ્યો હતો. રેલવે સીપીઆરઓ સુમિત ઠાકુરે શુક્રવારે જણાવ્યું છે કે ટ્રેનનો માત્ર આગળનો ભાગ જ ક્ષતિગ્રસ્ત થયાઓ હતો, તેના ફંકશનલ પાર્ટને નુકસાન પહોંચ્યું ન હતું.
Vande Bharat Express running b/w Mumbai Central to Gurajat's Gandhinagar met with an accident after a herd of buffaloes came on the railway line at around 11.15am b/w Vatva station to Maninagar. The accident damaged the front part of the engine: Western Railway Sr PRO, JK Jayant pic.twitter.com/OLOMgEv10G
ભેંસોના ટકરાવાને કારણે ટ્રેનનાં આગળના ભાગને થયું હતું નુકસાન
રેલવે સીપીઆરોએ કહ્યું કે ગ્રામીણોને સલાહ અપાઈ રહી છે કે તેઓ પોતાના ઢોરને ટ્રેક પાસે ન છોડે. તેમણે આગળ જણાવ્યું કે પશ્ચિમ રેલવે ગાંધીનગર - અમદાવાદ ખંડ પર ટ્રેનની ગતિ વધારીને 160 કિલોમીટર પ્રતિ કલાક કરશે. જણાવી દઈએ કે 3-4 ભેંસોનાં અચાનક ટકરાવાને કારણે આ અકસ્માત થયો હતો. દુર્ઘટનનાની 8 મિનિટની અંદર ટ્રેન ગાંધીનગર માટે રવાના થઈ ગઈ હતી અને પોતાના સમય પર પહોંચી ગઈ હતી. રિપેરિંગ દરમિયાન મુંબઈ સેન્ટ્રલ ડિપોમા ટ્રેનમાં નવું નોઝ કોન કવર લગાવવામાં આવ્યું અને કોઈપણ વધારે ડાઉનટાઈમ વગર તેને ફરી સર્વિસ માટે અપાઈ હતી.
દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન
આ દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે લીલી ઝંડી બતાવી હતી. અગાઉ, બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલી રહી હતી. આ ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ થઈને મુંબઈ સેન્ટ્રલ જાય છે, પછી આ રૂટ થઈને ગાંધીનગર પરત આવે છે. રેલવે બોર્ડ દેશભરમાં 400 સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. પીએમ મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી કે વર્ષ 2023 સુધી દેશમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલવા લાગશે.