હાલમાં જ શરૂ થયેલી વારાણસીથી નવી દિલ્હી જનારી વંદે ભારત એક્સપ્રેસમાં અડચણ સર્જાઈ છે. વંદે ભારત એક્સપ્રેસના AC કોચમાં ટેકનિકલ ખામી સર્જાતા રવિવારે તેને 1 કલાક માટે રોકી દેવામાં આવી હતી. આ બાબતને લઈને અલ્હાબાદ સ્ટેશને મુસાફરોએ હોબાળો સર્જ્યો હતો.
વંદે ભારત એક્સપ્રેસમાં સર્જાઈ ખામી
AC કોચમાં મુશ્કેલી આવતાં રોકવામાં આવી ટ્રેન
ટેકનિકલ મુશ્કેલીના કારણે ટ્રેનના 4 કોચમાં AC થયું બંધ
1 કલાક ટ્રેન રોકાતા મુસાફરોએ કર્યો હોબાળો
વંદે ભારતના 4 કોટમાં બંધ થયું AC
વારાણસીથી નવી દિલ્હી જનારી વંદે ભારત એક્સપ્રેસમાં રવિવારે એક વાર ફરી ખામી સર્જાઈ છે. જેના કારણે ટ્રેનનું સંચાલન ખોરવાયું હતું. ટ્રેનના 4 કોચમાં AC ન ચાલવાની ફરિયાદને લઈને મુસાફરોએ હોબાળો સર્જ્યો હતો. અલ્હાબાદ જંક્શન પર થયેલા હોબાળાને લઈને ત્યાંના રેલવિભાગના કર્મચારીઓએ તરત જ કોચની સ્વીચને રીપેર કરી હતી. આ ઘટનાને કારણે ટ્રેન 1 કલાક બાદ મોડી ચાલી રહી હતી.
અલ્હાબાદ જંક્શને હોબાળો થતાં ક્લીઅર થયો ફોલ્ટ
મળતી માહિતી અનુસાર વારાણસીથી નવી દિલ્હી જનારી વંદે ભારત એક્સપ્રેસ રવિવારે સાંજે લગભગ 4.40 મિનિટે અલ્હાબાદ જંક્શન પર પહોંચી. અહીં પહોંચ્યા બાદ મુસાફરોએ રેલ અધિકારીઓને ટ્રેનની સીટ 11-14માં AC કામ ન કરતું હોવાની ફરિયાદ કરી અને ત્યારબાદ તંત્ર દોડતું થયું. સ્વીચ રિપેરીંગને લઈને યાત્રીઓએ સ્ટેશન પર જ હોબાળો શરૂ કરી દીધો હતો.
સાંજે 4.40ને બદલે 5.50 મિનિટે રવાના થઈ ટ્રેન
હોબાળાની જાણકારી મળતાં જ રેલવેના અધિકારીઓ અને RPFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ તત્કાલ ટેક્નિશ્યિનને બોલાવીને પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવ્યો. આ સમયે એસીને ફરીથી ચાલુ કરવામાં 1 કલાકનો સમય લાગ્યો હતો. સમસ્યાનું સમાધાન થયા બાદ ટ્રેન 5.50 મિનિટે નવી દિલ્હી માટે રવાના કરવામાં આવી હતી.