ભારતીય રેલવેની ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનની ટ્રાયલનો વીડિયો શેર કર્યો છે. ટ્રેન મોહાલી અને સાહનેવાલ વચ્ચે દોડાવવામાં આવી હતી.
ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ
ટ્રેન મોહાલી અને સાહનેવાલ વચ્ચે દોડાવી
ટ્રાયલ બાદ સીઆરએસ ક્લિયરન્સ લેવામાં આવશે
ભારતીય રેલવેની ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનની ટ્રાયલનો વીડિયો શેર કર્યો છે. ટ્રેન મોહાલી અને સાહનેવાલ વચ્ચે દોડાવવામાં આવી હતી. ટ્રેનની તમામ ટ્રાયલ 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઇમાં તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેન 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડીને તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ત્રીજી વંદે ભારત ટ્રેનની ટ્રાયલ
મોહાલી-સાહનેવાલ વચ્ચે ટેસ્ટિંગ ટ્રેક પર આ ટ્રેનની ટ્રાયલ રન શરૂ થઈ ગઈ છે. આગામી કેટલાક દિવસો સુધી આ ટ્રેનનું પરીક્ષણ 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે. આ પછી રાજસ્થાનમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ કરવામાં આવશે.
ઇમર્જન્સી બ્રેકનું પણ ટ્રાયલ થશે
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેનના ટ્રાયલ માટે અલગ-અલગ સ્પીડ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે. ટ્રાયલ દરમિયાન ઇમર્જન્સી બ્રેકનો ઉપયોગ પણ કરવામાં આવશે જેથી એ જાણી શકાય કે હાઇ સ્પીડ દરમિયાન ટ્રેનમાં બ્રેકની શું અસર થાય છે અને બ્રેક લગાવ્યા બાદ તે કેટલી દૂર સુધી અટકી જાય છે.
બધી પ્રક્રિયા સમયસર પૂરી થશે
રેલવે મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રાયલ પૂર્ણ થયા બાદ સીઆરએસ ક્લિયરન્સ લેવામાં આવશે. આ પ્રક્રિયા પણ સમયસર પૂર્ણ થવાની સંભાવના છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કારણ કે આ તહેવાર સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દેશભરમાં ઉજવવામાં આવશે. આ દરમિયાન નવરાત્રી, દુર્ગાપૂજા અને ગરબા બધુ જ ઉજવવામાં આવશે. આથી રેલવે આ સમય દરમિયાન નવું વંદે ભારત શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.