રાજ્યમાં અવારનવાર પેપર ફૂટ્યાંના કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે ફરી વાર આજે પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. જેને લઇને તંત્ર સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો
પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા
પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્કો
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં.
પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો
પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો હતો. 10 નંબરના બ્લોકના વિદ્યાર્થી લેટરપેડ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે પરીક્ષાર્થીને પકડતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ પર પહોંચતા અનેક તર્ક વિતર્કો પણ ઉભા થયા હતાં.
વન રક્ષક વર્ગ 3 ની પરીક્ષા સમયે ખાસ વ્યવસ્થા પોલીસ દવારા કરવામાં આવશે
27 મી માર્ચના રોજ યોજનાર પરીક્ષા સમયે કેન્દ્રની 100 મીટર આસપાસ વિસ્તરમાં કેટલાક પ્રતિબંધ રાખવામાં આવશે
કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ દુકાન બંધ રાખવી
કોઈ ઇલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 26, 2022
પરીક્ષા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં કઇ રીતે પેપર ફૂટ્યું?
અત્રે તમને જણાવી દઇએ કે, આજ રોજ વનરક્ષક વર્ગ-3ની પરીક્ષા આજે યોજાઇ. જેની માટે વર્ષ 2018માં ભરતી માટેનાં ફોર્મ ભરાયા હતાં. ગુજરાત વનવિભાગમાં 334 જગ્યાઓ ખાલી છે. ત્યારે આજે બપોરનાં 12થી 2 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાઇ હતી. જેમાં મહેસાણાના ઉનાવામાં વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો કરાયો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નાગરિક મંડળના લેટર પેડ પર પ્રશ્નપત્રના જવાબો ફરતા થઇ ગયા હતાં. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલા વિદ્યાર્થીને જવાબ અપાયાં. વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં આવ્યો ત્યારે તેની પાસે પેપરના જવાબનું કાગળ હતું. નિરિક્ષકે વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં જવાબ સાથે પકડી પાડ્યો હતો. વિદ્યાર્થી પાસે ચાલુ પરીક્ષામાં જવાબ ક્યાંથી આવ્યાં તે અંગે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. જો કે, આ મામલે ઉનાવા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે.
અગાઉ તલાટીથી માંડીને હેડ ક્લાર્ક સુધીના પેપરો ફૂટી ચૂક્યાં છે
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી કેટલીક પરીક્ષાના પેપર ફૂટ્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં હેડ ક્લાર્કથી માંડીને તલાટીની ભરતી સુધીના પેપરો ફૂટ્યાં હોવાની અવારનવાર ઘટના સામે આવી હતી. ત્યારે અહીં કેટલાંક સળગતા સવાલો ઉભા થયાં છે જેવાં કે.....
વારંવાર કેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટે છે?
સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કેમ થાય છે?
કાયમી પેપરને ફોડવા માટે કઇ ગેંગ સક્રિય છે?
પરીક્ષાના પેપરની ગોપનિયતા કેમ નથી જળવાતી ?
પેપર જ્યાં રખાય છે ત્યાંની સિક્યુરિટીની કેમ નથી કરાતી પુર્તતા?
પેપરો ફોડનારા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
પરીક્ષાનું સેન્ટર આપવા પહેલા ચકાસણી કેમ નથી કરાતી?
સરકાર મન ફાવે તેમ સેન્ટરો કેવી રીતે ફાળવી દે છે?
શ્રી નાગરિક મંડળના લેટર પેડનો ઉપયોગ થયો છે, તો તે અંગે કાર્યવાહી થશે?
શ્રી નાગરિક મંડળની સંડોવણી આવે તો કેવી કાર્યવાહી કરાશે?
સરકાર દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ નથી કરતી?
આખરે કેમ ઉમેદવારોનાં ભાવિ સાથે વારંવાર ચેડાં થાય છે?