દહાડ વિસ્તારમાં પોતાના બંગલામાં એકલવાયું જીવન જીવતા રમેશ જૈન સાથે લૂંટની ઘટના
ઉમરગામમાં એકલવાયું જીવન જીવતો શખ્સ લૂંટાયો
બંધૂકની અણીએ લૂંટને આપ્યો અંજામ
લૂંટ કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ
વલસાડ જિલ્લાના ઉમરગામમાં શુક્રવારના રોજ દહાડ વિસ્તારમાં પોતાના બંગલામાં એકલવાયું જીવન જીવતા રમેશ જૈન સાથે લૂંટની ઘટના બની હતી. રાત્રિના સમયે 3 જેટલા હથિયારધારી લૂંટારૂઓ તેમના ઘરમાં ત્રાટકયા હતા. બંધુકની અણીએ બંગલામાં લૂંટ ચલાવી હતી. સાથે લૂંટ પહેલા રમેશ જૈનની આંખોમાં કેમિકલ જેવું પ્રવાહી નાખ્યું હતું. ત્યારે આ મામલે ઉમરગામ પોલીસે તાત્કાલિક પગલાં લેતા આ લૂંટને અંજામ આપનાર ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.
અશોક માલી, શિવપાલ રાજપુરોહિત, મુકેશ રાજપુરોહિતની આ ત્રણેય આરોપી મૂળ રાજસ્થાનના છે. આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસે આરોપી પાસેથી 24 હજાર રોકડ, સોનાની બે વીંટી અને લેપટોપ સહીત રૂપિયા 89 હજાર કબજે કરી લીધા છે. તેમજ આ આરોપી પાસેથી હથિયાર અને કારતૂસ પણ કબજે લીધા છે.