વલસાડઃ અરબી સમુદ્રમાં ભારે પવનથી દરિયો ગાંડો તુર બન્યો છે. જેને લઇને માછીમારો પરત ફર્યા છે. વલસાડની 700 બોટ અરબી સમુદ્રમાં માછીમારી માટે ગઇ હતી. જેમાંની 200 બોટ સંપર્ક વિહોણી બની છે. જ્યારે 300 બોટના કોડીનાર બંદરે લંગારાવામાં આવી છે. 100 જેટલી બોટ વલસાડ પરત ફરી છે. જો કે કેટલાક માછીમારો કિનારાના વિસ્તારોમાં પહોંચી ગયા છે.
માછીમારી કરવા ગયેલા માછીમારોની મુશ્કેલી વધી ગઇ છે. અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસથી કરંટ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા માછીમારોને માહિતી ન અપાતા તેઓની મુશ્કેલી વધી ગઇ છે. ત્યારે માછીમાર સમાજ દ્વારા તંત્ર સામે નારાજગી દર્શાવવામાં આવી રહી છે. હાલ વલસાડના દરિયામાં મોટા મોજા આવી રહ્યા છે. ત્યારે વલસાડની બોટોનો સંપર્ક થઇ રહ્યો નથી.
અગાઉ પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગના સૂચનો માછીમારો સુધી પહોંચતા નથી. જેને લઇને માછીમારો મધદરિયે મુશ્કેલીમાં મુકાયા છે.