વલસાડના વાપીમાં RTO કેમ્પમાં 'ફોલ્ડરરાજ'ને લઇને ખુલાસો સામે આવ્યો છે.
વલસાડના વાપીમાં RTO કેમ્પમાં 'ફોલ્ડરરાજ'નો ખુલાસો
વચેટિયા દ્વારા થતાં ઉઘરાણાને લઇને વાહનચાલકોએ કરી બબાલ
RTO કેમ્પમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને 'ફોલ્ડરરાજ' નો ખુલાસો
ગુજરાતના વલસાડના વાપીમાં RTO કેમ્પમાં 'ફોલ્ડરરાજ'ને લઇને ખુલાસો થયો છે. જેમાં વચેટિયા દ્વારા થતાં ઉઘરાણાને લઇને વાહનચાલકોએ બાબલ કરતાં RTO કેમ્પમાં મોટાપાય ભ્રષ્ટાચાર અને 'ફોલ્ડરરાજ'નો ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં દર મંગળવારે અને બુધવારે RTOનો કેમ્પ લાગે છે. આ કેમ્પમાં પાસિંગ અને જરૂરી RTOની કામગીરી કરવાની હોય છે. જો કે RTO કેમ્પમાં અધિકારીઓને બદલે ફોલ્ડરના ભરોસે કામગીરી થઇ રહી છે. ગેરકાયદે રીતે કરાતા ઉઘરાણાને લઇને વાહનચાલકોએ હોબાળો મચાવ્યો.
જો વાહનચાલકોના હોબાળા સમયે એકપણ RTOનો કર્મચારી કેમ્પમાં હાજર ન હતો. જે કામગીરી સત્તાવાર કર્મચારી કે અધિકારીઓએ કરવાની હોય તે વચેટિયાએ કરી. આ અંગે RTO અધિકારીની સૂચનાથી કામ કરતા હોવાનું વચેટિયાએ કબૂલાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
વલસાડ આરટીઓ કચેરીમાં ગેરકાયદેસર રીતે ફોલ્ડર રાજ પણ ચાલતું હોવાનું અગાઉ અનેક વખત ફરિયાદો થઈ ચૂકી છે, ત્યારે વધુ એક વખત વલસાડ જિલ્લાના આરટીઓ વિભાગ દ્વારા વાપીમાં ચાલતા આરટીઓના કેમ્પમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ફોલ્ડર રાજ ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
વલસાડ RTO દ્વારા વાપીમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મંગળવાર અને બુધવારે RTO નો કેમ્પ લાગે છે. આ કેમ્પના દિવસે મોટી સંખ્યામાં વાહનોની હાઇવે પર લાઈનો લાગે છે. સત્તાવાર રીતે આ કેમ્પમાં આવતા વાહનોના પાર્સીંગ અને જરૂરી RTOની કામગીરી માટે RTO ના સ્ટાફ દ્વારા કામગીરી સરકારી કરવાની હોય છે. પરંતુ આપ જાણીને ચોંકી જશો કે RTO કેમ્પમાં તમામ કામગીરી ફોલ્ડરના ભરોસે થઈ રહી છે.
સળગતા સવાલ
RTO અધિકારીની હાજરીમાં જ ચાલતા ભ્રષ્ટાચાર માટે કોણ જવાબદાર ?
કોના ઈશારે કામ કરી રહ્યા છે વચેટિયા ?
ફોલ્ડર રાજમાં ક્યાં સુધી પીસાતી રહેશે જનતા ?
કેમ્પમાં શા માટે RTOઓ કર્મચારીઓ દ્વારા નથી કરવામાં આવતું કામ ?
કેમ્પમાં ઉઘરાવવામાં આવતા નાણાંના હિસાબની પહોંચ માત્ર સાદા કાગળ પર કેમ ?
શું વાપીની જેમ અન્ય શહેરોમાં પણ ચાલતા હશે વચેટિયાથી વહીવટ?