શ્રમિકો પાસેથી ટ્રેનનું ભાડું વસુલવા મુદ્દે ફરી રાજકારણ ગરમાયું. વલસાડમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના લોકો માટે તંત્રએ ટ્રેનની વ્યવસ્થા કરી હતી. જો કે, દરેક શ્રમિક પાસેથી 700 રૂપિયા લેવાતા કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. તો પ્લેટફોર્મ પર ભાજપના અગ્રણીઓને પ્રવેશ અપાયો પરંતું કોંગ્રેસના નેતાઓને પ્રવેશ ન અપાતાં પોલીસ સાથે રકઝક થઈ હતી. એટલું જ નહીં રેલવે અને પોલીસ વિભાગે મીડિયાને પણ કવરેજ કરવા દીધુ ન હતું. ફરજ પર હાજર કેટલાક કર્મીઓએ મીડિયા સાથે અસભ્ય વર્તન પણ કર્યુ હતું.
ટ્રેન ઉપડતા પહેલા વલસાડ રેલવે સ્ટેશન પર રાજનીતિ અને માહોલ ગરમાયો
સ્ટેશન પર પોલીસે મીડિયા સાથે કર્યું ખરાબ વર્તન
સ્ટેશન માં ભાજપ ના અગ્રણીઓ ને અપાયો પ્રવેશ જોકે કોંગ્રેસ અગ્રણીઓ ને બહાર કાઢી મૂકવા ના આરોપ થી માહોલ ગરમાયો
વલસાડ જિલ્લામાં પણ lockdown ના 45 દિવસથી વધુ સમય વિત્યા બાદ આજે વતન જવા અધીરા બનેલા પરપ્રાંતિય શ્રમિકોને વતન મુકવા માટે પ્રથમ ટ્રેનની વ્યવસ્થાા કરાઇ હતી. જોકે. વલસાડ રેલવે સ્ટેશન પર આજે પ્રથમ ટ્રેન શ્રમિકો લઈને ઉત્તર પ્રદેશ જાય તે પહેલાં જ. વલસાડ રેલવે સ્ટેશન પર રાજકારણ અને માહોલ ગરમાયો હતો.
મહત્વપૂર્ણ છે કે વલસાડ થી યુપી જઈ રહેલા શ્રમિકો પાસેથી ટિકિટ નું ભાડું વસૂલ કરવામાં આવ્યું હતુ. જોકે ગઈ રાત્રે જ કોંગ્રેસ દ્વારા અડધી રાત્રે વતન જવા ઈચ્છતા અને રજિસ્ટ્રેશન કરાવેલ શ્રમીકોને ટિકિટ ભાડાના એક ટિકિટ દીઠ રૂપિયા 700 રોકડા ચૂકવાયા હતા આથી ગઈ રાતથી જ વલસાડ જિલ્લામાં શ્રમિકોને વતન મૂકવાની અને ટ્રેન રવાના કરવાની વાતને લઈને રાજકારણ ગરમાયું હતું.
જો કે આજે બપોરે વલસાડ રેલવે સ્ટેશનથી શ્રમિકો ને લઈને ટ્રેન ઉત્તર પ્રદેશ રવાના થાય એ પહેલાં જ રેલવે સ્ટેશન પર માહોલ ગરમાયો હતો. શરૂઆતમાં ટ્રેન ઉપડે એ પહેલાં જ વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને જવા દેવામાં આવ્યા હતા. જોકે ત્યાર બાદ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરતા કોંગ્રેસ અગ્રણીઓ ને અટકાવવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ અને કોંગ્રેસ અગ્રણીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ તેમ છતાં કોંગ્રેસ અગ્રણીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશતા અટકાવ્યા હતા.. અને તેમને બહાર મોકલી દેવામાં આવ્યા હતા.
રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કવરેજ કરવા ગયેલી મીડિયા સાથે પણ અશોભનિય વર્તન કર્યું હતું અને મિડિયા સાથે પણ ઝપાઝપી અને અસભ્ય વર્તન કર્યું હતું. જેને લઈને થોડા સમય સુધી રેલવે સ્ટેશન પર માહોલ ગરમાયો હતો. આમ વલસાડ રેલવે સ્ટેશનથી આજે પરપ્રાંતિયોને લઈને પ્રથમ ટ્રેન રવાના થાય તે પહેલા જ રેલવે સ્ટેશન પર રાજકારણ પણ ગરમાયું હતું. અને સાથે સાથે રેલવે સ્ટેશન પર માહોલ પણ ગરમાયો હતો.