વલસાડમાં ઔરંગા નદીની પાણીની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીની જળસપાટી વધી છે. જેને લઈને સાવચેતીના ભાગરૂપે નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ભૈરવીમાં લગાવેલ અર્લી એલાર્મ સિસ્ટમ અલર્ટ મોડ પર કરવામાં આવ્યું છે. ભૈરવીમાં જળ સ્તર 4.3 મીટર પર પહોચતા તંત્ર અલર્ટ થયું છે. વહીવટી તંત્રની સાથે નગરપાલિકાનું તંત્ર પણ સાવધ થયું છે. તંત્ર દ્વારા સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારને અલર્ટ કરવામાં આવ્યા છે.