વલસાડના ઉમરગામ નજીક બાઈકને અડફેટે લીધા બાદ સ્કુલવાન વીજપોલ સાથે અથડાઇ પલટી જતા રૂવાંડા ઉભા કરતો અકસ્માત સર્જાયો હતો.
વલસાડના ઉમરગામ નજીક અકસ્માત
અકસ્માતની ગીઝારી ઘટનામાં એક બાઈકચાલકનું મૃત્યુ
શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાન પલટી ગઈ
વલસાડ જિલ્લામાં અકસ્માતની આજે વધુ એક ગોઝારી ઘટના પ્રકાસમાં આવી છે જેમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક બાઈકને અડફેટે લીધા બાદ સ્કુલવાન વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે અકસ્માતમાં એક બાઇકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇને સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બાઈકને અડફેટે લીધા બાદ સ્કુલવાન વીજપોલ સાથે અથડાઈ
વલસાડના ઉમરગામ નજીક સાતપાટી માર્ગ પર અકસ્માત થયો હતો જેમાં શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્કૂલવાન બાઇક સાથે અથડાઇ હતી. જેમાં બાઇક ચાલક જમીન પર પટકાતા તેને ગંભીર ઇજા થવા પામી હતી જે જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું. બાઈકને જોરદાર ઠોકર મારી સ્કુલવાન સિધ્ધી વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ સાથે અથડાયા બાદ વાન પલટી મારી ગઇ હતી.
અકસ્માતમાં બાળકોને સામાન્ય ઈજા
નોંધનિય છે કે, અકસ્માતગ્રસ્ત સ્કૂલ વાનમાં 9 બાળકો અને એક શિક્ષિકા સવાર હતા આથી ભૂલકાંઓના જીવ તાળવે ચોંટયા હતા. આ ઘટનામાં બાળકોને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર કરાઇ હતી જ્યારે બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યુ હતું.