કેવડિયાથી PM મોદીએ સંબોધનની શરૂઆત સરદાર પટેલ અમર રહે...અમર રહે.. તથા દેશની એકતા...જીંદાબાદ...જીંદાબાદના ગગનભેદી નારા સાથે કરી હતા. આ સાથે તેમણે મંચસ્થ મહેમોના નામનો ઉલ્લેખ કર્યો હતો.
હુ આપ સર્વેનુ અભિનંદન પાઠવુ છુ ગુજરાતની જનતાનો આભારી છુ આપણી સભ્યતા હજારો વર્ષ જૂની પ્રતિમાનું લોકાર્પણ કરી ધન્યતા અનુભવું છું રામ સુથાર અને અનિલ સુથારનું પણ સન્માન આપણી સભ્યતા વર્ષો જુની આજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું: #PMModi#StatueOfUnitypic.twitter.com/7JgGJpIdxn
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે. આજે દેશના વિરાટ વ્યક્તિને યોગ્ય સ્થાન મળ્યું. પહેલા મને પહાડમાંથી પ્રતિમા બનાવવાનું સ્વપ્ન હતું. જો કે કોઇ પહાડ એટલો મજબૂત ન મળ્યો કે જેની પર સરદારની પ્રતિમા બનાવી શકાય. સરદાર પટેલે 5 જુલાઇ 1947ના સરદાર પટેલે રજવાડાઓને સંબોધ્યા હતા.
તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે આજે દેશ રાષ્ટ્રીય એકતા દિવસ મનવી રહ્યા છે. જમીનથી આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થયો. મેં સરદાર સાહેબના સ્ટેચ્યુની ગુજરાતના મુખ્યમંત્રી રહેતા કલ્પના કરી હતી. આ સાથે જ હું ગુજરાતની જનતાનો આભારી છું.
PM મોદીએ વધુમાં જણાવ્યું કે રાજા રજવાડાઓના ત્યાગને પણ આપણે ન ભૂલવું જોઇએ આ સ્મારક યુવાઓની આકાક્ષાઓનું છે. છેલ્લા 3 વર્ષમાં હજારો કારીગરો શિલ્પકારોએ ખુબ મહેનત કરી છે હજારો શિલ્પકારોએ આ કલાના સ્મારકને બનાવ્યું છે.
#StatueOfUnity ને લીધે આ વિસ્તારની એક અલગ ઓળખાણ બનશે આ સ્મારક આદિવાસીઓના જીવનને વઘુ શ્રેષ્ઠ બનાવવાના ખોજનું કારણ બનશે હું ક્યારેક હેરાન થઇ જાવ છું કે જ્યારે કેટલાક લોકો અમાર આ કાર્યને રાજનીતિના ચશ્માથી જુએ છે: #PMModipic.twitter.com/fIQpFRWSIG
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તમામ લોકોના નામ સરદારની પ્રતિમાના ઇતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વડાપ્રધાને જણાવ્યું કે હું ઇચ્છતો હતો કે સરદારને સન્માન ખેડૂતના હાથે મળે. સરદારની પ્રતિમાં સામાર્થ્ય અને સમર્પણનું પ્રતિક છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે સ્ટેજ પરથી CM રૂપાણીએ સંબોધન કરતા જણાવેલ કે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનાવી છે આજે રાષ્ટ્રને પ્રતિમા અર્પણ કરી છે. જેનો ગુજરાતને આજે વિશેષ આનંદ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેલા દિગ્ગજ નેતાઓએ એક ફોટોશૂટ પણ કરાવીને આ પળને યાદગાર બનાવી હતી. જેમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી રૂપાણી રાજ્યપાલ ઓ.પી. કોહલી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ આ પળને યાદગાર બનાવી હતી.
આ સાથે કાર્યક્રમ સ્થળે હાજર રહેલા લોકો સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેન્ટ સીટી પહોંચ્યા હતા. જ્યાં હાજર રહેલા લોકો સાથે તેમણે વાર્તાલાપ કર્ચો હતો.
તેમની સાથે CM રૂપાણી વજુભાઇ વાળા અને આનંદી બહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ ટેન્ટ સીટનું ઉદ્ઘાટન કરીને એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતા. આ સ્થળે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના જીવન-કવનની આવરી લેવામાં આવ્યા છે.
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ છે. ત્યારે ભારતના વડાપ્રધા મોદી આજે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે.
#Narmada કેવડિયા કોલોની ખાતે #PMModi વેલી ઓફ ફ્લાવરનુ લોકાર્પણ કર્યુ
કેવડિયા કોલોની ખાતે વેલી ઓફ ફ્લાવર ખુલ્લુ મુકાયા 17 કિ.મી વિસ્તારમાં ફેલાયો છે વેલી ઓફ ફ્લાવર pic.twitter.com/hGkDG5LGVP
આજે તેઓ ખાસ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ફ્લાવર ઓફ વેલીની મુલાકાત લીધી હતી. 17 કિ.મી વિસ્તારમાં ફેલાયો છે વેલી ઓફ ફ્લાવરને વડાપ્રધાને પ્રજાને અર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફ્લાવર ઓફ વેલીમાં કુલ 115 ફૂલોની જાતીના છોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો 241.2 હેક્ટરમાં આ વેલીને તૈયાર કરાઈ છે. જેમાં 73 લોકલ જાતીના ફૂલને ગેલેરીમાંથી હવે પ્રવાસીઓ નિહાળી શકશે.
ઉલ્લેખનીય છે કે આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીને રંગ બેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ-1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7થી 8 કિલોમીટર સુધીના વિસ્તારમાં LED રોડ લાઈટ એલઈડી સાઈન બોર્ડ એલઈડી ગેટ એલઈડી મોડલ્સ લાઈટથી સજાવવામાં આવ્યા છે.