બુધ ગ્રહ આજથી વક્રી થઈ રહ્યો છે અને સાથે જ તેનાથી બુદ્ધિ, ધન, વ્યાપાર અને શિક્ષામાં ફાયદો થઈ શકે છે. માનવામાં આવે છે કે વક્રી બુધ અનેક લાભ આપે છે. એટલું જ નહીં આ બુધ 12 જુલાઈએ વક્રીથી માર્ગી પણ થશે. બુધના ઉદય અને માર્ગી થવાથી પરિસ્થિતિઓ ઝડપથી બદલાશે. અત્યાર સુધી બુધ વક્રી થઈને અસ્ત ચાલી રહ્યો હતો તેનાથી અનેક રાશિઓ પર વિપરિત પ્રભાવ પડી રહ્યો હતો. પરંતુ હવે બુધના ઉદય બાદ 6 રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. બુધના ઉદય અને માર્ગી થવાથી વ્યાપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે.
આજથી બુધ થયો વક્રી
આ 6 રાશિઓને થશે અખૂટ ધનલાભ
12 જુલાઈએ બુધ માર્ગી થશે અને પરિસ્થિતિ બદલાશે
મેષ
બુધના ઉદય અને માર્ગી થવાના પ્રભાવથી તમે તમારી અંદર સાહસ અને પરાક્રમની વૃદ્ધિ અનુભવશો. તમારામાં નવી ચેલેન્જનો સામનો કરવાની હિંમત આવશે. તમને કોઈ નવા સારા સમાચાર પણ મળી શકે છે. નવા વિચારોનું આદાનપ્રદાન અને નવા લોકો સાથે મિત્રતા પણ થઈ શકે છે. કોઈની પાસેથી ઉધાર લીધા હશે તો તેને ચૂકવવામાં સમર્થ થશો. બુધના માર્ગી થતાં તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
વૃષભ
બુધ ગ્રહને તમારી રાશિથી બીજા અને પાંચમા ભાવનું સ્વામિત્વ મળ્યું છે. આ સમયે તમારા માટે ધન સંબંધી બાબતો સારી રહેશે. આ સમયે તમે ધનનો સંચય કરવામાં સફળ રહેશો અને આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે. તમે વિદ્યાર્થી છો અને અભ્યાસ કરી રહ્યા છો તો સારું પરિણામ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ આવી શકે છે. પોતાની શિક્ષાના માધ્યમથી પણ તમે ધન કમાઈ શકો છો.
મિથુન
બુધ તમારી રાશિનો સ્વામી પણ છે અને તમારા ચતુર્થ ભાવનો સ્વામી છે. બુધના માર્ગી થવાની સાથે સમાજમાં તમારી ઓળખ વધશે અને સાથે સ્વાસ્થ્યમાં સુધાર આવશે. દામ્પત્ય જીવનમાં મુશ્કેલીઓ વધશે. તેનું મુખ્ય કારણ એક મેકની વાતને ન સમજવું રહેશે. પરિવારમાં ઘરેલૂ રીતે શાંતિ રહેશે અને લોકો તમારી પાસે સલાહ લેવાનું પસંદ કરશે. આ સમયે તમારી આંતરિક ક્ષમતાના વિકાસમાં સફળતા મળશે. બિઝનેસમાં પણ લાભ થશે.
સિંહ
બુધ તમારા દ્વિતીય ભાવ અને એકાદશ ભાવનો સ્વામી છે. તેના ઉદય થવાથી તમારી કમાણીમાં વધારો જોવા મળશે. તમે આર્થિક લાભના હેતુથી જે કાર્ય કરશો તેમાં તમને સફળતા મળશે. લાંબા સમયથી અટકેલા કામ હવે પૂરા થશે. તમારા સામાજિક જીવનમાં ઉન્નતિ આાવશે અને નવા લોકોને મળવાનો અવસર મળશે. જ્યાં પણ તમે તમારા મગજનો ઉપયોગ કરીને આગળ વધશો ત્યાં સફળતા અચૂક મળશે.
તુલા
બુધના ઉદયથી તમને ભાગ્યનો સાથ મળશે. તમને ઉત્તમ લાભના અવસર મળશે. તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે અને સાથે તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. લોકો તમારી સલાહને માન આપશે અને સાથે આ સમયે કરેલી કોઈ પણ યાત્રા સફળ રહેશે. ભાઈ બહેનોને પણ લાભ થશે. તમારા પિતા સાથેના સંબંધ પહેલાંથી વધારે સારા થશે. તમે લોકોના પ્રિય પાત્ર બની શકશો. તમારી લેખનમાં રૂચિ વધી શકે છે.
ધન
બુધના ઉદયથી તમારી પદોન્નતિની સ્થિતિ બનશે પણ વચ્ચે કેટલાક અટકાવ આવશે જેને તમારે દૂર કરવા પડશે. સંચારના માધ્યમોમાં સુધાર અનુભવાશે. જીવનસાથી સાથે કોઈ ખાસ વાતને લઈને વાતચીત થશે. કરિયર માટે આ માર્ગી બુધ અનુકૂળ સાબિત થશે. જો તમે તમારી વાત પર ધ્યાન રાખશો તો સંતુલન જળવાઈ રહેશે અને ચીજો તમારા પક્ષમાં રહેશે. તમને તમારા કાર્યોમાં સફળતા મળશે અને સાથે તેનાથી લાભ પણ થશે. વધારે વિચારવાની જરૂર નથી કારણ કે વધારે વિચારવાથી કામમાં વિલંબ આવે છે.