ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે જેને લઇને રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ ચૂંટણીને લઇને મહત્વનું નિવેદન આપ્યું
વજુભાઈ વાળાનું વિધાનસભાની ચૂંટણી અંગે નિવેદન
ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરી પણ શક્ય છે- વાળા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. રાજકીય પક્ષોએ બેઠકો મેળવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. જેને લઇને રાજકીય પાર્ટીઓ અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યો છે. તો આ તરફ કોંગ્રેસ દ્વારા ઝોન પ્રમાણે બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
'182બેઠકો મેળવવી અઘરી, પણ શક્ય ખરી'
ત્યારે ચૂંટણીને લઇને આ બધુ જોતા ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક મેળવવી અઘરી ખરી પણ શક્ય છે. કોઇપણ કાર્ય પાછળ મહેનત કરીએ તો ધાર્યુ પરિણામ મળે જ. ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ આપ મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે ત્રીજો, ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ આવશે તો ભાજપ જ. મહત્વનું છે કે રાજકોટમાં જન્માષ્ટમીની શોભાયાત્રા પૂર્વે ધર્મસભા યોજાઇ હતી. જેમાં વજુભાઇ વાળા હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.
'પીએમ મોદીએ સગાવાદને મહત્વ નથી આપ્યું'
તો પરિવારવાદ વિશે પણ તેઓએ નિવેદન આપતા જણાવ્યું તે પીએમ મોદીએ શ્રીકૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ આપ્યુ નથી. ભગવાન કૃષ્ણએ પણ ધર્મ માટે મામાનો વધ કર્યો હતો. પીએમ મોદી ભ્રષ્ટાચાર અને પરિવારવાદના વિરોધી છે.