કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ બૂસ્ટર ડોઝ લઈને VTV સાથે ખાસ વાતચીત કરી. જેમા તેમણે વડાપ્રધાનનો આભાર માન્યો સાથેજ ભાજપના નેતાઓના સામાજિક મેળવડાને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું.
વજુભાઈ વાળાએ વીટીવી સાથે કરી ખાસ વાતચીત
બૂસ્ટર ડોઝ લીધા પછી વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
ભાજપ નેતાઓના સામાજિક મેળવડા પર આપ્યું મોટું નિવેદન
વીટીવી દ્વારા આજે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે વાત કરવામાં આવી જેમા બૂસ્ટર ડોઝને લઈને તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી. વજુભાઈએ બૂસ્ટર ડોઝ લીધો હતો જેને લઈને તેમણે વડાપ્રધાન મોદીનો ખાસ કરીને આભાર માન્યો હતો. સાથેજ તેમણે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાનો પણ આભાર માન્યો હતો.
બૂસ્ટર ડોઝ લેવા માટે કરી અપીલ
વધુમાં તેમણે કહ્યું કે જે પણ નાગરીકો બૂસ્ટર ડોઝ લઈ શકે છે તેમણે બૂસ્ટર ડોઝ લેવોજ જોઈએ જેથી કરીને સંક્રમણ પર કાબૂ મેળવી શકાય. ઉપરાંત તેમણે કહ્યું કે જે રીતે આજે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. તેને લઈને બૂસ્ટર ડોઝની આજે શરૂઆત કરવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું કે જે લોકો બિમારીથી પિડાઈ રહ્યા છે તેમના માટે આ બૂસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી છે.
લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું
વજુભાઈએ કીધું કે આજે હું જ્યારે બૂસ્ટર ડોઝ લેવા ગયો ત્યારે મારી સાથે બીજા લોકો પણ આનંદથી ડોઝ લઈને બહાર નીકળી રહ્યા હતા. સાથેજ તેમણે કહ્યું લોકો ભયમુક્ત થયા હોય એ રીતે બહાર નિકળતા હતા. પરંતુ તેમને મે સલાહ આપી કે ભલે તમે બૂસ્ટર ડોઝ લઈ લીધો હોય તમારે માસ્ક અને સોશિયલ ડિસટન્સ જેવા કોરોનાના નિયમોનું પાલન તો કરતાજ રહેવું પડશે.
ભાજપ નેતાઓના સામાજિક મેળવડા પર મોટું નિવેદન
જોકે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ભાજપ નેતાઓ દ્વારા જે સામાજીક મેળવડા થાય છે. તેને લઈને વજુભાઈ વાળાને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેને લઈને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાવો જોઈએ સાથેજ જો જરૂર પડે તો કાયાદાકીય કાર્યવાહી પણ કરવી જોઈએ. સાથેજ તેમણે કહ્યું જે કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહ્યા છે. તેવા લોકોને સૂચીત કરવા જોઈએ કે આવું ન કરો
રાજ્યમાં કેસ વધ્યા અને રિકવરી રેટ ઘટ્યો
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોને કારણે ટેન્શન વધી ગયું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6275 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1263 દર્દી સાજા થયા છે. 27913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટીલેટર પર છે અને 27913 દર્દી સ્ટેબલ છે. જોકે એકપણ દર્દીનું મોત નથી થયું અને અત્યાર સુધીમાં 824153 દર્દી સાજા થઇ ચૂક્યા છે. ચિંતાની વાત એ છે કે રાજ્યનો રીકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે, હાલ 95.59 ટકા પર પહોંચ્યો છે. આજરોજ 93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.