આજથી વૈષ્ણોદેવી યાત્રા શરૂ થઇ ગઇ છે છે. ત્યારે વૈષ્ણોદેવીના 8 પૂજારીઓ અને 11 શ્રાઇન બોર્ડ કર્મચારીઓના સંક્રમિત થયા બાદ નિયમોમાં બદલાવ કરાયો છે. જેમાં હવે એક દિવસમાં 2 હજાર લોકો જ યાત્રા કરી શકશે. અગાઉ 5 હજાર લોકોને મંજૂરી આપવામાં આવી હતી.
આજથી શરૂ થઈ વૈષ્ણોદેવી યાત્રા
દરરોજ 2 હજાર યાત્રિકો કરી શકશે દર્શન
કોરોનાને કારણે 18 માર્ચથી બંધ હતી વૈષ્ણોદેવી યાત્રા
ઉલ્લેખનીય છે કે, યાત્રીઓમાં જમ્મૂ-કશ્મીરના 1900 અને અન્ય રાજ્યોના 100 લોકો હશે. આ ઉપરાંત બેટરી વાહન, યાત્રી રોપવે અને હેલિકોપ્ટર સેવા પણ ચાલુ રહેશે. યાત્રામાં સામેલ થવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.
કોરોના નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે
આ ઉપરાંત અન્ય પ્રદેશ અને જમ્મૂ-કશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવો પડશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવશે.
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના અધિકારીનું નિવેદન
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. આની તપાસ ભવન માટે જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બણગંગા, કટરામાં કરવામાં આવે. તીર્થયાત્રીઓ માટે માસ્ક, ફેસ કવર પહેરવું અનિવાર્ય છે અને તમામનું સ્ક્રિનીંગ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે પ્રવાસ સરળ બનાવવા માટે બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે. ભીડથી બચવા માટે આપતી અને વિશેષ પૂજામાં ભાગ લેવાની પરવાનગી આપવામાં નહીં આવે.
પ્રવાસમાં ઘોડા, પિઠ્ઠુ અને પાલકીને પરવાનગી આપવામાં નહીં આવે. 10 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી, બિમાર લોકોને પ્રવાસની પરવાનગી અપાશે નહીં.