શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સિમરનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની સાતમી બટાલિયનના હેડક્વાર્ટરમાં બોર્ડના સ્ટાફ મેમ્બર્સ વિધિવત્ તાલીમ લઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે 86 લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીની યાત્રા કરી હતી. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (Vaishno Devi Shrine Board) પોતાની પ્રાઈવેટ ફોર્સ તૈયાર કરી રહ્યું છે. આ ફોર્સ સપ્ટેમ્બર મહિના સુધીમાં તહેનાત પણ કરી દેવામાં આવશે. વૈષ્ણોદેવી (Vaishno Devi) યાત્રા માટે દેશના દરેક રાજ્યમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ (pilgrims) આવે છે. એવા સંજોગોમાં કોઈ દુર્ઘટના સર્જાય કે કુદરતી આફત આવી પડે ત્યારે બોર્ડના સ્ટાફના સભ્યો સૌથી પહેલા શ્રદ્ધાળુઓની મદદ માટે હાજર રહેશે.
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સિમરનદીપ સિંહે જણાવ્યું કે, પંજાબમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની સાતમી બટાલિયનના હેડક્વાર્ટરમાં બોર્ડના સ્ટાફ મેમ્બર્સ વિધિવત્ તાલીમ લઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, ગયા વર્ષે 86 લાખ શ્રદ્ધાળુઓએ વૈષ્ણોદેવીની યાત્રા કરી હતી. આ સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે છે.
બોર્ડનાં 25 સ્ટાફ મેમ્બર્સનો ટ્રેનિંગ પ્રોગ્રામ 18 મેથી શરૂ થયો છે. ટ્રેનિંગ સમાપ્ત થવાનો સમય પણ હવે ખુબ નજીક છે. અમારી યોજના છે કે, સપ્ટેમ્બર સુધીમાં 180 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે. આ વર્ષે અમારી ખુદની પ્રાઈવેટ ફોર્સ તૈયાર થઈ જશે, જે દુર્ઘટના અને કુદરતી આપત્તિઓ વખતે શ્રદ્ધાળુઓની મદદ માચે સૌથી પહેલા પહોંચી જશે.
આ વર્ષની શરૂઆતમાં શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.
આ કરાક હેઠળ જ બોર્ડનાં કર્મચારીઓને તાલીમ આપવાનું નક્કી થયું હતું. સિમરનદીપ સિંહે જણાવ્યું કે, અમારા જે કર્મચારીઓની 15-20 વર્ષની નોકરી હજુ બાકી છે અને જે લોકો સંપૂર્ણ ફિઝિકલ ફિટ છે, તેમને ટ્રેનિંગ પવામાં આવી રહી છે. આ લોકોમાં સુરક્ષા, મેડિકલ, સહાયક વિંગ, સફાઈકર્મીઓ અને અન્ય સ્ટાફનો પણ સમાવેશ થાય છે.