ભારતના સૌથી મોટા તીર્થસ્થાનોમાંથી એક વૈષ્ણોદેવી જનારા યાત્રાળુઓને અનેક મુશ્કેલીઓ આવતી ઓછી થઇ જશે. હવે વૈષ્ણોદેવી યાત્રા કરનારા યાત્રીઓને હાઇટેક સુવિધાઓ મળશે. યાત્રીઓની તરફથી આવી રહેલી સતત ફરિયાદો પછી શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ઘણા બદલાવ કર્યા અને બદલાવ પછી યાત્રીઓને ફાયદા થવાની આશા છે. શ્રાઇન બોર્ડે આ કામ ટૂંક સમયમાં પૂરી કરવા માટે ભારતીય આઇટી કંપનીને હાયર કરી છે.
અનેક યાત્રાળુઓની ફરિયાદ હતી કે ખચ્ચરક ચલાવનારા લોકો તેમની પાસેથી મનફાવે તેવી કિંમત વસૂલે છે. શ્રાઇન બોર્ડની આ પહેલાથી આ પ્રકારની લૂંટ પર લગામ લાગશે. વૈષ્ણોદેવી સુધી જવા માટે વૃદ્ઘો બાળકો અથવા બિમાર લોકો ખચ્ચરનો સહારો લેતા હોય છે.
યાત્રાળુઓની ફરિયાદ હતી કે ખચ્ચર માલિકો વધારે કિંમત વસૂલે છે. હવે આ ખચ્ચરોમાં એક ખચ્ચરોમાં એક ચિપ લગાવવામાં આવશે જેથી લોકેશન ટ્રેસ કરી શકાય અને તેમના પર નજર રાખી શકાય. આથી માલિકો યાત્રાળુઓ પાસેથી બિનજરૂરી ફી વસૂલી નહીં શકે.
ઘોડા અથવા ખચ્ચરના માલિક જો કોઇ પણ યાત્રાળુ પાસેથી વધારે પૈસા વસૂલશે અથવા તો દુર્વ્યવહાર કરશે તો તેમનો સ્માર્ટકાર્ડ સીઝ કરી દેવામાં આવશે. આ એક કડક નિયમ છે જેની લાંબા સમયથી જરૂર હતી. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડની આ પહેલ પછી આશા છે કે પેસેન્જર શાંતિથી પોતાની યાત્રા કરી શકશે.
ખચ્ચર પરથી પડી જવાના કારણે ઘણી વખત યાત્રાળુઓને ગંભીર ઇજા થાય છે. હવે દરેક યાત્રાળુને સુરક્ષા માટે હેલ્મેટ આપવામાં આવશે. વૈષ્ણોદેવી જતી વખતે રસ્તામાં અનેક ખતરનાક ચઢાણ આવે છે જેમાં યાત્રાળુઓનું બેલેન્સ જતુ રહે છે અને પડી જવાની ઘટનાઓ પણ સાંભળવા મળતી હોય છે.