જમ્મુ-કશ્મીરનાં રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી જઇ રહેલા શ્રદ્ધાળુઓ પર એક મોટી ભેખડ પડી છે. આ દૂર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓનાં મોત નિપજ્યાં છે જ્યારે 25થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ થયાં છે.
Jammu: 4 people dead after landslide hits Sehar Baba waterfall near Riasi; Army and police launch search and rescue operation; More details awaited pic.twitter.com/b979z7ZQCB
પ્રાપ્ત માહિતી પ્રમાણે વૈષ્ણોદેવી જઇ રહેલ શ્રદ્ધાળુઓ રસ્તામાં એક ઝરણામાં સ્નાન કરવા રોકાયાં હતાં. ઝરણામાં સ્નાન કરતી વખતે જ શ્રદ્ધાળુઓ પર પર્વતની એક મોટી ભેખડ પડી. આ દૂર્ધટનામાં 5 શ્રદ્ધાળુઓનાં મોત થયાં જ્યારે 25થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના બાદ સેના અને પોલીસનાં જવાનો સમયસર પહોંચ્યા હતા. તેઓએ ઘાયલોને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સતત વરસાદ થઇ રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારે વરસાદના કારણએ આ લેન્ડસ્લાઇડ થયુ છે. શ્રદ્ધાળુઓ પર ભારે ભેખડ પડવાંથી ત્યાં ભારે દોડધામ પણ મચી હતી. એવું કહેવાય છે કે આ દુર્ઘટનામાં મોટે ભાગે શ્રદ્ધાળુઓ સ્થાનીક લોકો જ હતાં.