વૈષ્ણોદેવી યાત્રાના પ્રમુખ પડાવ સાંઝી છતની આસપાસના જંગલોમાં શંકાસ્પદ વ્યક્તિઓની સૂચના બાદ સોમવારે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ગઇકાલ સાંજથી સાવચેતી માટે ભૈરૌ ઘાટી તેમજ યાત્રાના પ્રાચીન માર્ગ ભકતોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે.
વૈષ્ણોદેવી યાત્રાના પ્રમુખ પડાવ સાંઝી છતની આસપાસના જંગલોમાં શંકાસ્પદ વ્યક્તિઓની સૂચના બાદ સોમવારે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ગઇકાલ સાંજથી સાવચેતી માટે ભૈરૌ ઘાટી તેમજ યાત્રાના પ્રાચીન માર્ગ ભકતોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. જો કે હજુ સુધી નવા માર્ગ પર યાત્રા સામાન્ય રીતે ચાલી રહી છે.
જ્યારે મંદિરમાં દર્શન પર પણ કોઇ પ્રભાવ જોવા મળ્યો નથી. જો કે એક મળતાં અહેવાલ મુજબ સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચલાવવામાં આવ્યું હતું. સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ સુરક્ષા એજન્સીઓને સાંઝી છત ટાવરના માધ્યમથી બે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની ઉપસ્થિતિની સૂચના મળી હતી.
જો કે શંકાસ્પદ વ્યક્તિઓ હાલ કઇ જગ્યા પર છે તે અંગે કોઇ સ્પષ્ટ જાણકારી મળી નથી. જો કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા એજન્સીઓએ સાંઝી છતની આસપાસના ક્ષેત્રમાં સર્ચ અભિયાન હાથ ધર્યું. મોટી સંખ્યામાં અધિકારીઓ હેલિકોપ્ટરતી સાંઝી છત પહોંચ્યા હતા.
ભૈરો ઘાટી તેમજ પ્રાચીન માર્ગ પર સાવચેતીના પગલારૂપે ભક્તોની આવન-જાવન પર રોક લગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સર્ચ ઓપરેશનમાં પોલિસ, સીઆરપીએફ તેમજ સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જો કે આ મામલે હાલમાં પોલીસ પ્રશાસન તેમજ સાઇન બોર્ડ પ્રશાસન દ્વારા કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ શરૂ થયાના બે દિવસ અગાઉ પણ ધર્મનગરીની આસપાસ શંકાસ્પદ વ્યક્તિઓની ઉપસ્થિતિની સૂચના પર તપાસ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. ધર્મનગરી તેમજ આસપાસના વિસ્તારમાં ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
યાત્રા માર્ગ પર આગળ વધતા અગાઉ યાત્રીઓએ કડક તપાસની કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે. એવા સમયે કોઇપણ યાત્રી શંકાસ્પદ વસ્તુ લઇ જાય તે શક્ય નથી. પૂરા યાત્રામાર્ગ પર શ્રધ્ધાળુઓએ તપાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.