વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂકરાતા ભક્તોમાં ઉત્સાહ, ભારે વરસાદને કારણે અસ્થાયી રૂપે કરવામાં આવી હતી સ્થગિત
વૈષ્ણોદેવી યાત્રા ફરીથી કરવામાં આવી શરૂ
ભારે વરસાદને કારણે કરવામાં આવી હતી સ્થગિત
હાલ જાનહાનિ કે નુકસાનના કોઇ સમાચાર નહી
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓ પર સ્થિત વૈષ્ણો દેવી મંદિરની યાત્રા શનિવારે સવારે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. જેના કારણે દર્શન કરવા આવેલા ભક્તોમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સાંજે ભારે વરસાદને કારણે યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગે જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને કોઇ જાનહાનિ કે નુકસાન થયુ હોવાના હાલ કોઇ અહેવાલ મળ્યા નથી.
J-K: Vaishno Devi Yatra resumes after being suspended due to flash floods triggered by heavy rainfall
મહત્વનું છે કે જમ્મુ અને કાશ્મીરના કટરામાં ભારે વરસાદને કારણે સાવચેતીના ભાગ રૂપે વૈષ્ણોદેવીની યાત્રા રોકવી પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે કટરામાં સાંજે કેટલાક કલાકો સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે શનિવારે સવારે 5 વાગ્યા સુધી યાત્રા સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદ શરૂ થતાં મંદિરમાં જ હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. આ દરમિયાન, હિમકોટી (બેટરી કાર) ટ્રેક મુસાફરી માટે બંધ કરવામાં આવ્યો હતો.
J&K | Visuals from Katra town where the upward movement of pilgrims to Vaishno Devi temple has been stopped in the wake of heavy rainfall pic.twitter.com/Z3CEjlx1UQ
તેમણે માહિતી આપી હતી કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા નિયમિત જાહેરાતો કરવામાં આવી રહી છે.કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો અને મેડિકલ યુનિટ્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પોલીસ, CRPF અધિકારીઓ સહિતનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જો કે હાલમાં સ્થિતિ સામાન્ય થતા લગભગ સવારે સાત વાગે ફરીથી વૈષ્ણવદેવીની યાત્રા શરૂ કરવામાં આવી છે. ત્યાં રોકાયેલા મુસાફરો અને શ્રદ્ધાળુઓના બેચને આગળ જવા માટે કહેવામાં આવ્યું છે.