જામનગર જિલ્લામાં અનારાધાર વરસાદના કારણે આઠ ડેમ ઓવર ફ્લો થઇ ગયા છે. ત્યારે જામનગર નજીકના વાગડિયા ડેમ પણ 17 વર્ષ બાદ છલકાયો છે. વર્ષ 2002માં ખાત મૂહુર્ત કરાયેલ ડેમનું કામ અધૂરું છોડી દેવાયું હતું. જેના કારણે 15 ગામોને મુશ્કેલી પડી હતી. ત્યારે ગત વર્ષે 12 ગામના લોકોએ આંદોલન કર્યા બાદ ડેમનું કામ આગળ વધાર્યું હતું.