ખેડા: આચાર્ય રાકેશ પ્રસાદ અને કોઠારી સંત સ્વામીએ હરિભક્તો માટે જાહેરાત કરી છે. સ્વામીએ જાહેરાત કરી હતી કે આફ્રિકામાં વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર સ્થપાશે. હાલ સંતસ્વામી અને સંતો આફ્રિકાના પ્રવાસે છે. આફ્રિકાના હરિભક્તોએ મંદિર માટે માગ કરી હતી. નેરોબી કિસી એલડોરેટ સહિતના 200થી વધુ ભક્તો સાથે સંતોએ સભા યોજી હતી.
ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કદ વધી રહ્યું છે થોડા સમય પહેલા દુબઇમાં પહેલા હિન્દુ મંદીરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જે સ્વામિનારાયણ મંદીર હતું. તાજેતરમાં અખાતી દેશો પ્રથમ પરંપરાગત શૈલીના હિન્દુ મંદિરનો વેદોકત ભૂમિપુજન કાર્યક્રમ વિધિવત સંપન્ન થયો હતો. પીએમ મોદીએ દુબઇના વિખ્યાત ઓપેરા હાઉસ ખાતે ૧૮૦૦થી વધુ મહાનુભાવોની મેદનીવચ્ચે શિલાપૂજનમાં ભાગ લેતા મંદીરની પ્રતિકૃતિનું વિધિવત્ ઉદ્દધાટન કર્યુ હતું.