સેક્સ લીલા માટે વડતાલ સ્વામિનારાયણ મંદિરાના સાધુઓ વિવાદમાં આવ્યા બાદ હવે ફરીથી મિલકત મામલે વિવાદ સામે આવ્યો છે આ મામલસે યજ્ઞપુરૂષનો વીડિયો સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. આવો જાણીએ તેમણે શું કહ્યું વીડિયો
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી વિવાદ
જૂનાગઢના યજ્ઞપુરૂષ સ્વામીના ગંભીર આક્ષેપ
મંદિરનો વહીવટ કોર્ટને સોંપવા કરી માગ
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ફરી વિવાદ સામે આવ્યો છે. યજ્ઞપુરૂષ સ્વામીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જૂનાગઢના યજ્ઞપુરૂષ સ્વામીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને મંદિરનો વહીવટ કોર્ટને સોંપવા માગ કરી છે.
શું યજ્ઞપુરુષ સ્વામીએ?
યજ્ઞપુરુષ સ્વામીએ કહ્યું કે આ તમામ મામલો પૈસાનો છે. પૈસા આવે છે એટલે આ બધુ થાય છે. અને પૈસાનો કોઇ હિસાબ નથી હોતો. ત્યારે આ મામલે સીબીઆઇ તપાસ કરવામાં આવવી જોઇએ. જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીએ મોટો આક્ષેપ કરતા કહ્યું કે જેની પાસે કરોડોની મિલકતો, જમીનો અને સંસ્થાઓ છે એ આર્થિક ગોટાળાઓ છે એ સામે આવી શકે તેમ છે. એટલે એની તપાસ થવી જોઇએ.