ઉલ્લેખનીય છે કે, દેવપક્ષના 3 આગેવાનો મતદાન અગાઉ બિન હરીફ થયા છે. સાધુ વિભાગમાં દેવપ્રકાશદાસજી સ્વામી બિનહરીફ થયા છે. જ્યારે પાર્ષદમાં ઘનશ્યામ ભગત અને બ્રહ્મચારીમાં પ્રભુતાનંદજી બિનહરીફ ચૂંટાયા છે.
સિદ્વાંતપક્ષે ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે
જો કે, સિદ્વાંતપક્ષે ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરતા ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સવારે 7.30થી મતદાન શરૂ થઇ ગયું છે. અને સાંજે 5.30 સુધી મતદાન થશે. વડતાલ, સુરત, રાજકોટ, મુંબઈ, જલગાવ અને કુક્ષીમાં યોજાનાર મતદાનમાં વડતાલ સંસ્થાના 72 હજાર ભક્તો મતદાન કરશે.
16 માર્ચે મતગણતરીની કામગીરી
મતદાન બાદ 15 માર્ચે મતપેટીઓ વડતાલ લાવવમાં આવશે અને 16 માર્ચે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. વિજેતા થયેલ ટીમ વડતાલ મંદિર અને તાબાના મંદિરોનો વહિવટ સંભાળશે.
11 ઉમેદવારો મેદાનમાં
ઉલ્લેખનીય છે કે, હાલ 11 ઉમેદવારો મેદાનમાં છે અને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે પરંતુ તે પહેલા સિદ્ધાંત પક્ષના ઉમેશ કનુભાઇ અમીન, જગદીશ શંભુભાઈ, નારાયણ કાનજીભાઈ ભરવાડ અને ભરત અમીને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.
ઉમેદવારે કર્યો મોટો દાવો
ચૂંટણીનો બહિષ્કાર કરનારા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાઈ રહી નથી. વડતાલ મંદિરની વેબસાઈટ ઉપર અમુક ઉમેદવારો પ્રચાર કરે છે તે નિયમ વિરુદ્ધ છે.