વડતાલ સ્વામિનારાયણ મંદિરના લાલજી મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બળાત્કરની ઘટના મુદ્દે વિવાદીત નિવેદન હોવાનો દાવો કરાઇ રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૃગેન્દ્રપ્રસાદનો આ વીડિયો છે. જેમાં બળાત્કારની ઘટના ભગવાનની મરજીથી થતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ છે. જો કે જ્યારે આ વીડિયોને લઇ પડતાલ કરી તો સામે આવ્યું કે આ વીડિયોને લોકોએ ખોટી રીતે વાયરલ કર્યો છે.
વડતાલ સ્વામિનારાયણ મંદિરના લાલજી મહારાજના નિવેદનના વીડિયોને કેટલાક લોકોએ બદઇરાદાથી વીડિયોને એડિટ કરી અને વાયરલ કર્યાનું સામે આવ્યું છે. આખા વીડિયો જ્યારે તમે જોશો તો તમને ખબર પડશે કે નૃગેન્દ્રપ્રસાદ લોકોને સાચી સલાહ આપી રહ્યા હતા કે ભગવાનને તમામ વાતે દોષ ના દેવો જોઇએ. કાળા કામ કરાનારાઓને નૃગેન્દ્ર પ્રસાદ સલાહ આપી રહ્યાં હતા. ત્યારે કેટલાક લોકોએ વીડિયોના માત્ર અંશ લઇને બદઇરાદાથી વાયરલ કર્યું છે.