સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કામલીલા બાબતે ફરી એકવાર આક્ષેપો પ્રતિ આક્ષેપો સામે આવ્યા છે. બે દિવસ પહેલા કંડારી ગુરૂકુળમાં કુકર્મ મામલે પત્ર અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેને લઈને સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો ત્યારે હવે સંતો દ્વારા આ મુદ્દાને ઉઠાવનારને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાની વાત ચર્ચાઈ રહી છે.
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની લીલાનો પર્દાફાસ કરતો પત્ર અને ઓડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર મામલાને દબાવવા ધાક ધમકીનો ઉપયોગ થઇ રહ્યો હોવાની અરજી ચકલાસી પોલીસ મથકે થઇ છે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સ્વામીના શિષ્ય સાથેના સમલૈંગિંક સંબંધને ખુલ્લા પાડતા પત્ર અને ઓડિયો ક્લીપ મામલે પોલીસ તપાસની માંગ કરનાર સંજાયાના હરિભક્તને મંદિરમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જ મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાની ચર્ચાને પગલે ફરીથી આ મામલો ઉછળ્યો છે.
શું છે મામલો?
વડતાલ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે. વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંતવલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે. કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડીયો વાઇરલ થયો છે. VTV આ પત્ર અને ઓડીઓ કલીપની પુષ્ટિ કરતુ નથી. આ પત્રમાં કંડારી ગુરુકુળ, કાસી,હરિદ્વાર અને વડતાલમાં વારંવાર કુકર્મ કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
વેદાંત વલ્લભ સ્વામીનો પત્ર વાઈરલ થતા ધનશ્યામ સ્વામી ભૂગર્ભમાં ઉતારી ગયા છે. વેદાંતવલ્લભ સ્વામી પણ હાલ કોઈના સંપર્કમાં નથી. સ્વામી વિરુદ્ધ ઓડીઓ કલીપ અને પત્ર વાઇરલ થતા હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.
ઓડીયો કલીપ અને પત્ર વાઇરલ થયા બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. વેદાંતવલ્લભ સ્વામીના પત્ર દ્વારા આક્ષેપો બાદ પણ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વેદાંતવલ્લભ સ્વામીના આક્ષેપો બાદ હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલે રાકેશ પટેલ નામના હરિભક્તે ચકલાસી પોલીસ અને કલેકટર ખેડાને લેખિત રજુઆત કરી છે. વાઈરલ પત્ર અને ઓડીઓ કલીપ મુદ્દે યોગ્ય તપાસ કરવા કરી માંગ કરવામાં આવી છછે. હરિભક્તો દ્વારા સમગ્ર મામલે કસુરવારો સામે પગલાં લેવા માંગ કરી છે.