કીર્તિ મંદિરનું બીજુ નામ જ્યોતિનું મંદિર અને અંગ્રેજ સરકારના સમયમાં ટેમ્પલ ઓફ ફ્લેમ હતું.
મંદિરની ભવ્યતા જેટલો જ ભવ્ય છે તેનો ઈતિહાસ
જાણો કીર્તિ મંદિરના ઈતિહાસ વિશે
કોણે કરાવ્યું હતું તેનું નિર્માણ?
વડોદરા વાસીઓએ કીર્તિ મંદિર ઘણી વખત જોયુ હશે. પરંતુ તેના ભવ્ય ઈતિહાસ વિશે અમુક જ લોકોને ખબર હશે. કીર્તિ મંદિરનું બીજુ નામ જ્યોતિનું મંદિર અને અંગ્રેજ સરકારના સમયમાં ટેમ્પલ ઓફ ફ્લેમ હતું.
શિખર પર ભારતનો નક્શો
આ મંદિરનું નિર્માણ 1936માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળમાં કરવામાં આવ્યું હતું. આ મંદિર વિશ્વામિત્રી નદીની પાસે આવેલું છે. તેના શિખર પર ભારત દેશનો નક્શો બનાવવામાં આવ્યો છે.
દિવાલો પર મહાભારતનું વર્ણન
આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરના અંદરના ભાગને આરસપાનથી નિર્માણ કરવામાં આવ્યો છે. અને તેની દીવાલ પર કોતરણીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરની દિવાલો પર મહાભારતના વિવિધ અધ્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. જે ખૂબ જ અધભૂત છે.
મંદિરની ભવ્યતા
કીર્તિ મંદિર હાલના સમયમાં વડોદરા શહેરમાં પ્રવાસીઓ માટે આકર્ષણ ધરાવે છે. હાલ આ મંદિર વડોદરામાં એક ભવ્ય સ્મારક તરીકે આગવું સ્થાન ધરાવે છે. મંદિરની ભવ્યતા જ પોતાનામાં આગવુ સ્થાન ધરાવે છે.