વડોદરાની સયાજીગંજ બેઠક પર વડોદરાના મેયર અને કોર્પોરેશનના વિપક્ષ નેતા વચ્ચે ચૂંટણી જંગ જામશે; ભાજપે મેયરને મેદાનમાં ઉતાર્યા તો કોંગ્રેસે વિપક્ષના નેતાને ટિકિટ આપી
વડોદરામાં કોર્પોરેશનના વિપક્ષ નેતા અને મેયર વચ્ચે ટક્કર
કેયુર રોકડિયા આ લડાઈને વિચારધારાની લડાઈ ગણાવી
મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું બનાવવું છે: અમી રાવત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ મોટા ભાગની બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેને લઈ ઉમેદાવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. આજે વાત વડોદરાની સયાજીગંજની બેઠકની કરવાની છે. રાજ્યભરમાંથી એકમાત્ર વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક પર વડોદરાના મેયર અને કોર્પોરેશનના વિપક્ષના નેતા વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે ભાજપે મેયરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે જો કોંગ્રેસે વિપક્ષના નેતા અમીબેન રાવતને ટિકિટ આપી છે કોર્પોરેશનમાં સામ સામે લડતા આ બે નેતાઓ હવે વિધાનસભાની ચૂંટણી લડશે. ત્યારે બન્ને પક્ષ વિકાસ લક્ષી પ્રશ્નોને લઈ જનતાને રીઝવવાનો પ્રયાસ કરશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર વિકાસ અને લોકોની સમસ્યાઓના મુદ્દાઓને લઈ પ્રહારો કરવાનું શરૂ કરી દીધુ છે.
કોર્પોરેશનના વિપક્ષ નેતા અને મેયર વચ્ચે ટક્કર
વિધાનસભાની ચૂંટણી માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે રાજકીય પાર્ટીઓ એ તેમના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે વડોદરાના સયાજીગંજ વિધાનસભા બેઠક ઐતિહાસિક બેઠક બની રહી છે. આ બેઠક પર કોર્પોરેશનના મેયર અને વિપક્ષના નેતા ચૂંટણી મેદાને ઉતર્યા છે સયાજીગંજ બેઠક પર ભાજપે મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસે વિપક્ષ નેતા અમીબેન રાવતને ટિકિટ આપી છે આ બેઠક પર કાંટે કી ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા આ લડાઈને વિચારધારાની લડાઈ ગણાવી રહ્યા છે.
સતત લડત આપતી રહીશ:અમીબેન રાવત-કોંગ્રેસ ઉમેદવાર
વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર અને ત્યારબાદ વિપક્ષના નેતા તરીકે કામ કરતા આ વિધાનસભા બેઠકમાં વોર્ડ એકમાંથી તેમની આખી પેનલ સાથે વિજયી થયેલા છે તેવી આ બેઠક પર અમીબેન રાવતને કોંગ્રેસે ટિકિટ આપી છે ત્યારે મેયરને ટક્કર આપવાની બાબતમાં અમીબેન કહે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું બનાવવું છે અને સતત લડત આપતી રહી છું ત્યારે જનતાના મુદ્દાઓ ઉકેલવા માટે જનતા મને સાથ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.