જૂનાગઢમાં ખાતરના કૌભાંડ બાદ રાજ્યભરના ખેજૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વડોદરાના વાઘોડિયામાં ખાતરના ગોડાઉનમાં સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા. વાઘોડીયાના બજાર સમિતિ પાસેના ગોડાઉનમાં સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા.
કોંગ્રેસની જનતા રેડ દરમિયાન ગોડાઉનમાં મુકવામાં આવેલી 1251 બોરીઓ ચેક કરવામાં આવી હતી. આ દરમિયાન બોરીમાં વજન ઓછુ જોવા મળ્યુ હતુ. પોલીસ અને ગોડાઉન સંચાલકની હાજરીમાં બોરીઓનું વજન કરવામાં આવ્યું તો ખાતરની બોરીઓમાં 400થી 500 ગ્રામ વજન ઓછુ જોવા મળ્યુ હતું. કોંગ્રેસીના કાર્યકરોએ જવાબદાર સામે મામલતદારને ફરિયાદ કરવાની માગ કરી છે.
તો આ બાજુ ઉત્તર ગુજરાતમાં પણ ખાતરની બોરીમાં ઓછું વજન સામે આવ્યું છે. બનાસકાંઠામાં 20 જગ્યાએ ક્ષતિઓ સામે આવી છે. જેમાં 270થી 600 ગ્રામ સુધીનું વજન ઓછું હોવાનું સામે આવ્યું છે. આ ખાતરની બોરીઓ સિક્કામાં આવેલા યુનિટમાં પેકિંગ થયું હોવાનું સામે આવ્યું છે.