બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દુષ્કર્મની ફરિયાદ બાદ જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ નોંધાયો ગુનો, લુકઆઉટ નોટિસ જાહેર
Last Updated: 12:13 PM, 9 June 2024
વડોદરામાં વડતાલનાં સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ મામલે પોલીસ દ્વારા જગતપાવન સ્વામી વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ જગતપાવન સ્વામી 2 વર્ષ પૂર્વ વડોદરા છોડી વડતાલ જતા રહ્યા હતા. ત્યારે પોલીસે ફરાર આરોપી જગતપાવન સ્વામીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોઈ લુકઆઉટ નોટીસ પણ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ
ADVERTISEMENT
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના 3 સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. વડતાલના સ્વામિનારાયણના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીએ આક્ષેપ કર્યા છે. 2016માં 14 વર્ષની સગીર સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઇ હતી. જગતપવન સ્વામી સગીરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે સગીર માટે જગતપાવન સ્વામી ગિફ્ટ લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડીતે જણાવ્યું છે.
વધુ વાંચોઃ 'જે ઘટના બની તેને સમાજ સાથે લેવાદેવા નથી' ગણેશ જાડેજાના સમર્થનમાં અનુસુચિત જાતિ સમાજ
સત્સંગીઓમાં રોષ
પીડિત સાથે ફોન પર અભદ્ર વાતો કર્યાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે એચ પી સ્વામી, કેપી સ્વામીએ મદદ કરી હોવાનું પણ યુવતીએ કહ્યું છે. ત્યારે પીડીતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતા વડતાલ તાબાના સ્વામિનારાયણ સત્સંગીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.