ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના તમામ વિસ્તરોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં ખાબક્યો હતો. જેથી વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ પોલીસની સારી કામગીરી જોવા મળી છે. લોકો વધુ પરેશાન ન થાય તે માટે ટ્રાફિક પોલીસે 10 દિવસ સુધી દંડ નહી વસૂલવાની જાહેરાત કરી છે.
વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ હવે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે. તો તંત્ર દ્વારા પણ લોકોના હિતમાં 10 દિવસ સુધી ટ્રાફિક દંડ નહીં વસુલવાનો મહત્વો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. વડોદરાને ઘમરોળ્યા બાદ રાજકોટ અને બાદમાં સુરત, ભરૂચ, વલસાડ અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને જળબંબાકાર કર્યું હતુ. વડોદરામાં વિશ્વામિત્રી નદી બે કાંઠે થતાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લઇ બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
તો પૂરની સ્થિતિ બાદ શહેરીજનોને વધુ તકલીફ ન પડે એ માટે તંત્ર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ટ્રાફિક પોલીસ 10 દિવસ સુધી કોઇ દંડ નહીં વસુલે. પોલીના આ નિર્ણયને શહેરીજનોએ આવકાર્યો છે.