સોખડા હરિધામ મંદિરનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વકીલ સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં બંને સંતો વચ્ચે આજ રોજ સમાધાન માટે બેઠક મળશે. આ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે.
વડોદરાના સોખડા હરિધામ મંદિર વિવાદ હજુ યથાવત્
સોખડા ગાદી વિવાદ પાછળ કરોડોની સંપત્તિ મુખ્ય કારણ
આજ રોજ સમાધાન માટે બેઠક મળશે
વડોદરામાં સોખડા હરિધામ મંદિરના પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે વકીલ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં મીટિંગ થશે. જો મિટિંગમાં સમાધાન ન થાય તો બોમ્બે HCના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.એસ. શાહની સમક્ષ સમાધાન થશે. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશનનો રિપોર્ટ આપવાનો રહેશે. 13 જૂનના રોજ આગામી સુનાવણી થશે. આ વચ્ચે સોખડા મંદિર વિવાદ મુદ્દે મોટો ખુલાસો થયો છે.
સોખડા મંદિર વિવાદ મુદ્દે મોટો ખુલાસો
સોખડા ગાદી વિવાદ પાછળ કરોડોની સંપત્તિ મુખ્ય કારણ છે. દેશ તેમજ વિદેશમાં યોગી ડિવાઇન સોસાયટીની અંદાજે કુલ 10 હજાર કરોડની સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મંદિરો, આશ્રમો, જમીન તેમજ 560 કિલો સોનાની સંપત્તિ છે. ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, લંડનમાં પણ ટ્રસ્ટ હેઠળ કરોડોની સંપત્તિ છે.
હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ
સોખડા હરિધામ મંદિરમાં ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ મંદિરમાં વિવાદ સર્જાયો છે. 11 મેના રોજ સોખડા હરિધામ મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામિના દર્શન અને ચાદરવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે યોગી ડીવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતાં વિવાદ વકર્યો છે. ત્યાગવલ્લભ સ્વામીની સહી થતાં પ્રબોધ સ્વામી જૂથના ભક્તો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા છે. ભક્તોએ રજૂઆત સાથે કોર્ટમાં કેસ ચાલતો હોવાથી પ્રેમ સ્વરૂપ સ્વીમીની ચાદરવિધિ ન થઇ શકે હોવાનું જણાવ્યું છે. સાથે આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો છે.