વડોદરાના સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ રઝળતો મુકી દીધી હતી.
વડોદરાના સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી
કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ રઝળતો મુક્યો
કલાકો સુધી મૃતદેહ ઇમરજન્સી વિભાગના પેસેજમાં પડી રહ્યો
વડોદરાના સયાજી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો મૃતદેહ રઝળતો મુકતા મહામારીની ગંભીરતાને આટલી આસાનીથી લેતી હોસ્પિટલ અંગે કહી શકાય? કલાકો સુધી મૃતદેહ ઇમરજન્સી વિભાગના પેસેજમાં પડી રહ્યો હતો. મૃતદેહને PPE કીટ પહેરાવવાની દરકાર પણ ન રાખવામાં આવી. આ કારણે ત્યાં દાખલ અન્ય દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે જોખમ ઉભુ કર્યું હતુ. આવી ગંભીર બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય? તેવા સ્થાનિકોમાં સવાલ ખડા થઈ રહ્યા છે.
સળગતા સવાલ
સયાજી હોસ્પિટલ તંત્ર કોરોનાને ગંભીરતાથી કેમ નથી લેતુ?
કોરોનાના દર્દીને કોને રઝળતો મુક્યો?
કોણ છે હોસ્પિટલમાં બેદરકાર?
અન્ય કોઈ દર્દી કે સ્ટાફને કોરોનાનું સંક્રમણ થાય તો જવાબદાર કોણ?
શું સયાજી હોસ્પિટલ પાસે PPE કીટનો સ્ટોક નથી?
મૃતદેહને PPE કીટ વિના કેવી રીતે મુકી શકાય?
મૃતદેહને તેના પરિવારને સોંપવાના જગ્યાએ રઝળતો કેમ મુક્યો?