વડોદરા સયાજી હોસ્પિટલ ફરીથી એકવાર વિવાદમાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિજનોએ સયાજી હોસ્ટિપલ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
વડોદરામાં સયાજી હોસ્પિટલ પર મૃતકના પરિજને કર્યા આક્ષેપ
60 વર્ષીય અરૂણ પવારનું મોડી રાતે કોરોનાથી થયુ મૃત્યુ
મૃતકના પુત્ર દિનેશ પવારનો હોસ્પિટલ સત્તાધીશો પર આક્ષેપ
વડોદરામાં સયાજી હોસ્પિટલ પર મૃતકના પરિજને બેદરકારીનો આક્ષેપ કર્યો છે. સયાજી હોસ્પિટલમાં 60 વર્ષીય અરૂણ પવારનું મોડી રાતે કોરોનાથી મૃત્યુ થયું હતું. ત્યારે મૃતકના પુત્ર દિનેશ પવારે હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે સયાજી હોસ્પિટલમાં સાજા વ્યક્તિને પણ તંત્ર મારી નાખે છે. હોસ્પિટલ તંત્ર તરફથી મૃતદેહ લઇ જવા માટે પણ કોઇ વ્યવસ્થા નથી. આ ઉપરાંત આક્ષેપ કર્યો કે કોઇ પણ તબીબ યોગ્ય જવાબ પણ નથી આપતા. ત્યારે સવાલ એ છે કે કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા કેમ બેદરકારી દાખવવામા આવે છે?. શું સયાજી હોસ્પિટલમાં મૃતદેહ લઇ જવા માટે પણ કોઇ વ્યવસ્થા નથી?. મૃતકના પરિજનના ગંભીર આક્ષેપ પર કોઇ કાર્યવાહી થશે?. કલાકો સુધી પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કેમ નથી કરાઇ?.
શું કહે છે મૃતકના પુત્ર
મૃતકના પુત્ર દિનેશ પવાર કહે છે કે, અહિંયા મારા પિતા રાત્રે 12 વાગે મૃત્યુ પામ્યા છે. તંત્રએ 5 વાગ્યાની એમ્બ્યુલન્સનો સમય આપ્યો હતો. પરંતુ 9 વાગ્યા છતા એમ્બ્યુલન્સ નથી આવી. અહિંયા તંત્ર ઉડાઉ જવાબ આપે છે. તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થિત કામ કરવામાં નથી આવતું. અહિંયા પરિસ્થિતિ ખુબ ખરાબ છે. દર્દી પર ધ્યાન નથી આપવામાં આવતું. સારા ચાલતા ફરતા દર્દીને મારી નાખવામાં આવે છે.
સળગતા સવાલ
કોરોનાના કહેર વચ્ચે હોસ્પિટલ તંત્ર દ્વારા કેમ બેદરકારી દાખવવામા આવે છે?.
શું સયાજી હોસ્પિટલમાં મૃતદેહ લઇ જવા માટે પણ કોઇ વ્યવસ્થા નથી?.
મૃતકના પરિજનના ગંભીર આક્ષેપ પર કોઇ કાર્યવાહી થશે?.
કલાકો સુધી પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કેમ નથી કરાઇ?.