બિલ્ડર સાંઈ રુચિ એન્ડ ડી.એમ.સી અને નારાયણ રિયાલિટી મનપાને આવાસના વધુ 300 મકાનો સહિત કુલ 2900 મકાનો આપશે
વડોદરામાં આવાસ યોજના ફરી વિવાદમાં
મેયરની કામ ફરી શરૂ થશે તેવી જાહેરાત
બિલ્ડરે 4 વર્ષ બાદ એક ઈંટ પણ નથી મૂકી
2017માં વારસિયા વિસ્તારના સંજયનગરના એર હજાર 840 કાચા પાકા મકાનો તોડી પાડી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 16 મહિનામાં મકાન આપવાનો વાયદો 4 વર્ષે પણ પૂરો થયો નથી, મેયર કેયુર રોકડીયાએ આ જ વિવાદી કોન્ટ્રાક્ટરને મકાનો બનાવવા વધુ 3 વર્ષનો સમય આપતા વિવાદ ઉભો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે લાભાર્થીઓને બિલ્ડરે 15 માસનું ભાડું આપ્યું નથી ત્યારે મેયર કેયુર રોકડીયાએ આવાસ યોજનાનું કામ ફરી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. અને વધુ 3 વર્ષનો સમય આપ્યો છે. જેમાં લાભાર્થીઓના એક હજાર 840 મકાનો બનશે.
કોંગ્રેસ અને લાભાર્થીઓએ સવાલો ઉઠાવ્યા
આ સાથે બિલ્ડર મનપાને આવાસના વધુ 300 મકાનો સહિત કુલ 2 હજાર 900 જેટલા મકાનો બનાવી આપશે. જોકે બીજી બાજુ લાભાર્થીઓએ માંગ કરી છે કે 15 માસનું બાકી ભાડું બિલ્ડર તાત્કાલિક ચૂકવી આપે અને ભાડું 2 હજારથી વધારી 3000 કરવાની પણ માંગ કરી છે. મેયરની જાહેરાત બાદ કોંગ્રેસે આવાસ યોજનામાં ટેન્ડરની શરતોનું પાલન ન થતાં રીટેન્ડર અથવા પાલિકા પોતે મકાનો બાંધે તેવી માંગ કરી છે. જોકે જે બિલ્ડરો 4 વર્ષમાં મકાનની એક ઈંટ ન મૂકી શકનાર કેવી રીતે 3 વર્ષમાં આવાસ યોજનાના મકાનો બનાવશે આથી સ્વાલો થઇ રહ્યાં છે.