નડિયાદના પવિત્ર સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે સંતરામ મહારાજના 188મા સમાધિ મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યાંમાં ઉમટ્યા હતા અને પરંપરાગત રીતે 251 મણ સાકર અને 200 મણ કોપરાની ઉછામણી કરી હતી.
એક લાખથી વધુ ભક્તોએ વર્ષમાં એક જ વાર થતી આ દિવ્ય સાકરવર્ષાની આરતીના દર્શનનો લાભ લીધો હતો. મળતી માહિતી મુજબ આ દિવસે જે બાળકો ના બોલતા હોય તેમના મા બાપ દ્વારા બોરની ઉછામણી કરવામાં આવે છે અને ત્યારબાદ બાળક બોલતુ થાય છે તેવી માન્યતા છે.
મહત્વનું છે કે આજથી 188 વર્ષ પહેલા મહાસુદ પુર્ણિમાને દિવસે સંતરામ મહારાજે નડિયાદમાં જ જીવિત સમાધિ લીધી હતી અને તે સમયે આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી. ત્યારથી ભક્તો દ્વારા મહાઆરતી બાદ સાકરવર્ષા કરવામાં આવે છે.