વડોદરાના રહેવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. તંત્ર દ્વારા વડોદરાને દિવાળીને અનોખી ભેટ આપવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનને રી-ડેવલોપમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર 17.75 કરોડના ખર્ચે વડોદરા રેલવે સ્ટેશનને ડેવલોપ કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગોને સહાયરૂપ થાય તેવી વ્યવસ્થા આગામી સમયમાં ઉભી કરવામાં આવશે.
દેશના મહત્વના રેલવે સ્ટેશનોમાંથી વડોદરા રેલ્વે સ્ટેશન રિડેવલોપમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું ખાતમુર્હત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજનબેન ભટ્ટે કર્યું હતું.
આ ઉપરાંત બહેનો માટે ગ્રીન પ્રતિક્ષાલય ઉભુ કરવામાં આવ્યું છે ૭૫ જેટલી સફાઇ કામદાર બહેનોને મીઠાઈ અને સાડી અર્પણ કરીને અહિંના સાંસદે સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શહેરના પ્રમુખ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. વડોદરા શહેરને આગામી દિવસોમાં કેન્દ્ર સરકારે આપેલી આપે અનોખી ભેટ બની રહેશે.