વડોદરાઃ ભાજપના કાર્યકર અરવિંદ સિંધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે અરવિંદ સિંધાએ વીડિયો વાયરલ કરીને 3 ધારાસભ્યોને પણ સસ્પેન્ડ કરવાની માગ કરી છે. અરવિંદ સિધાએ મધુ શ્રીવાત્સવ યોગેશ પટેલ કેતન ઇનામદારને સસ્પેન્ડ કરવા માગ કરી છે.
મહત્વનુ છે કે આ ધારાસભ્યોએ ગાંધીનગરના અધિકારીઓ ખોટી રીતે બેસાડી રાખવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે ત્રણેય ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કર્યાનો સિંધાએ આક્ષેપ લગાવ્યો છે.
ત્યારે વડોદરા ભાજપ સંગઠન દ્વારા અરવિંદ સિંધાને રવિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવિંદ સિંધાએ વીડિયો જાહેર કરીને કહ્યુ છે કે મે સમાજ તરફથી રજૂઆત કરી હતી કે શહેર સંગઠનમાં 80 ટકા અનામત હોદ્દેદારો છે. તે લોકોએ અમને ન્યાય આપ્યો છે.
ભાજપના સસ્પેન્ડ નેતા અરવિંદન સિંધાએ કહ્યું કે હું ભાજપમાં વોર્ડનંબર 11ના સિનિયર કાર્યકર તરીકે કામ કરી રહ્યો છું. વડોદરાના વોર્ડ નંબર 11ના 80 ટકા પાર્ટીમાં કાર્યકરો અને મતદારો સવર્ણો છે અને પક્ષ દ્વારા જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી તે ખોટી છે. સમાજ તરફથી મે રજૂઆત કરી હતી કે વડોદરા શહેર સંગઠનમાં 80 ટકા અનામત હોદ્દેદારો છે. તે લોકોએ અમને ન્યાય આપ્યો છે જેના વિરૂદ્ધમાં મેં રજૂઆત કરી હતી.
જેના ભાગરૂપે મને પક્ષ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં 4 દિવસ પહેલા 3 ધારાસભ્યો (મધુ શ્રીવાસ્તવ યોગેશ પટેલ કેતન ઈનામદાર)એ પક્ષના વિરૂદ્ધમાં કામગીરી કરી તેમના પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. મેં સમાજ માટે રજૂઆત કરી તો મને પક્ષ દ્વારા ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.