વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, જો સરકાર રજા આપે તો તે પાકિસ્તાનમાં જઈ આત્મઘાતી હુમલા માટે તૈયાર છે. એટલું જ નહીં તેમના કાર્યકર્તાઓ પણ આત્મઘાતી બનવા તૈયાર છે. પુલવામાં હુમલાને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું છે કે, વારંવાર હુમલાને લઈ હવે પાકિસ્તાનને મજા ચખાવવી જોઈએ. જો સરકાર રજા આપે, સરકાર શસ્ત્રો આપે તો અમે આત્મઘાતી હુમલા માટે તૈયાર છીએ. આમ, મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનને લઈને ફરીવાર ચર્ચામાં આવ્યા છે..
અમે પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા માટે તૈયારઃ મધુ શ્રીવાસ્તવ
15 દિવસથી ભારત અને પાકિસ્તાવ વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતે કાલે પાકિસ્તાને ભારતીય જવાન અભિનનદને મુક્ત કરવો પડ્યો છે. જોકે ગઈકાલ પણ આંતકવાદી સાથેની અથડામણમાં 3 જવાનો શહીદ થયા છે. ત્યારે પાકિસ્તાનની અવળચંડાઇના કારણે આખો દેશ આજે યાતના ભોગવી રહ્યો છે. હવે ભારતવાસીઓની ધીરજ ખૂટી ગઈ છે.
આવી સ્થિતિમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આગળ આવ્યા છે અને દેશ માટે શહીદ થવા માટે તૈયારી દર્શાવી છે. પોતે ફીદાઇની બનીને આંતકવાદીઓનો ખાત્મો બોલાવવા તૈયાર છે. જો સરકાર મંજૂરી આપે અને હથિયારો તેમજ દારૂ ગોળો આપે તો પોતે ફીદાઇની બનીને આત્મઘાતી હુમલો કરવા તૈયાર છે. પીઠ પાછળ ખંજર ભોક્તા પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવા માટે પોતે તૈયાર છે.
આ આત્મઘાતી લોકોની ટોળકી બનાવવા પણ તૈયાર હોવાનું જણાવી રહ્યા છે કે માં તે કંઈકને કંઈક નિવેદનો આપીને ચર્ચામાં રહેતા વાઘોડિયાના ધારાસભ્યએ આ નિવેદન કરીને ફકરી પોતાની વાત લોકો અને સરકાર સામે મૂકી છે.