વડોદરા: શહેરમાં આજે રાવણ દહન કરવામાં આવશે. શહેરના પોલોગ્રાઉન્ડ પર આજે સાંજે રાવણ દહન કરવામાં આવશે. છેલ્લા 37 વર્ષથી અહીં રાવણ દહન કાર્યક્રમનું આયોજન થાય છે.
2 લાખ કરતા વધારે લોકો આજે અહીં ઉમટે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. પોલોગ્રાઉન્ડમાં 55 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. જ્યારે 50 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દશેરા નિમિતે રાવણ દહન કાર્યક્રમ સમાજને સંદેશો આપે છે કે અસત્ય પર સત્ય વિજય થઇને જ રહે છે. ત્યારે વડોદરાના પોલોગ્રાઉન્ડ ખાતે આજ રોજ રાવણ દહન નો કાર્યક્રમ થનાર છે જેને લઇને દરેક તૈયારી કરી લેવાઇ છે. શહેરમાં છેલ્લા ૩૭ વર્ષોથી ઉતર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્રારા આ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે.
આ વર્ષે પણ રાવણ દહનમાટે ૫૫ ફુટનું પુતળું રાવણનું જ્યારે કુંભકર્ણ અને મેઘનાદના ૫૦ ફુટના પુતળા બનાવવામાં આવ્યા છે. જેને ખાસ નાગપુરના કારીગરોની દેખરેખ હેઠળ ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવ્યા છે.
આ પુતળામાં આજે દારુખાનું ભરવામાં આવશે. રાવણ દહનનો કાર્યક્રમ કોઇપણ અડચણ કે આકસ્મિક દુર્ઘટના વગર પુરો થાય તે માટે ખાસ પોલીસ જવાનો તથા એમ્બ્યુલન્સ અને ફાયર ટીમ પણ એલર્ટ રાખવામાં આવશે.